________________
આમભટ મંત્રીની કથા
પૃથ્વી રૂપી કડિયામાં-બહ્માંડરૂપી સંપુટમાં હે અંબડ દેવ! સર્પની જેમ પામ્યો છે ફેલાવો જેનો એવા તમારો યશ ગોળાકારે ભમે છે. (૧) ક્યારેક કોડનું દાન આપે છે ક્યારેક લાખનું દાન આપે છે. સાધુને યોગ્ય સામગ્રી હોય ત્યારે દાનીઓમાં મુગટ સરખો એવો અંબડ સાધુઓને શુદ્ધ અન્ન આપીને તે પછી પોતે જમે છે. જ્હયું છે. કે પહેલા સાધુઓને આપીને પોતાનાંઓને આપીને અને પછી પચ્ચકખાણ પારે. સાધુઓ ન હોય તો (આવવાની દિશા તરફ જોઈને પછી જમે. કાલને યોગ્ય એવી વસ્તુ જે કોઈ રીતે અપાઈ ન હોય તો યથોકત કરનાર એવા ધીર સુશ્રાવલે તે ખાતાં નથી, પોતાને વિષે “રાજપિતામહ એ પ્રમાણે બિરુદની પંક્તિને વહન કરતો દેવબુદ્ધિવડે જિનેશ્વરને અને ગુબુદ્ધિવડે શુદ્ધગુને નમન કરતો હતો. અંબડ હંમેશાં યાચકોને દાન આપે છે. તે કર્ણ વિક્રમાદિત્ય આદિ-દાનીની
ખ્યાતિને પામ્યો. કુમારપાલ રાજા પરલોક પામે છો તેની પાટ ઉપર અજ્યપાલ પોતાની જાતે બેસી ગયો. સર્વમંત્રી આદિ લોક નમે છો પાપ વગરનો આમભટ જિનેશ્વર વિના રાજાને ધર્મબુદ્ધિથી નમ્યો નહિ.
અજયપાલે કહયું હે આદ્મભટ ! જો તું મને નમન નહિ કરે તો મંત્રીમાં નાયક એવા આપને હણીશ. તે પછી અરિહંતના બિંબને પૂજીને અનશન લઈને મજબૂતપણે યુદ્ધ કરવા માટે મંત્રી ગયો. ચિતમાં અરિહંતને અણ સ્તો મંત્રી નાયક- અંબડ દેવલોકમાં ગયો. હયું છે. કે :
ઉદયનો પુત્ર દેવલોકમાં ગયે છતે કોઈએ શ્રેષ્ઠ સુભટ થવું કોઇ રીતે શ્રેષ્ઠ નથી, અને ધનને માટે યાચક થવું પણ શ્રેષ્ઠ નથી. મહામાં નિપુણ એવા યાચાર્ય થવું એ પણ શ્રેષ્ઠ નથી.દેવથી ભાગ્યથી) દાનનો સમુદ્ર એવો ઉદયનનો પુત્ર દેવલોકમાં ગયે જે પૃથ્વીતલમાં કેમ કરીને પણ વિદ્વાન-પંડિત ન થવું ઈત્યાદિ ઘણા પ્રકારે, તીર્થયાત્રાદિ પુણ્ય કરીને અંબડસ્વર્ગમાં ગયે ને લોકો પરસ્પર એ પ્રમાણે કહેવા લાગ્યા. આ મંત્રીશ્વર પુણ્યનું ઘર છે. પ્રાણીઓના હિતના આશયવાલો છે. તે ઘણું ય કરીને સ્વધરમાં ગયો
આ પ્રમાણે આમભટ આંબડ મંત્રીની કથા સંપૂર્ણ