SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૯ तए णं आणंदे गाहावई समणस्स भगवओ महावीरस्स अंतिए पंचाणुव्वइ सत्त-सिक्खा-वइ दुवालसविहं सावय-धम्म पडिवज्जइ, पडिवज्जित्ता समणं भगवं महावीरं वंदइ नमसइ। “તે વાર પછી આણંદ ગાથાપતિ શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ પાસે પાંચ આણવત, સાતશિક્ષાવ્રત રૂપ બાર પ્રકારે ત્રાવક ધર્મ અંગીકાર કરે છે. અંગીકાર કરીને શ્રમણ ભગવાન મહાવીરને વાદ છે, નમસ્કાર કરે છે.” આ બે આલાવામાં બારવ્રત ઉચ્ચ તેનો સ્વીકાર, જે દેશાવકાશિક વ્રત ન હોય, તો કેવી રીતે ઘટે? અને જે તે વ્રત ન હોય, તો તેના પાંચ અતિચાર કેમ બતાવ્યા? તેથી આણંદ શ્રાવકે પાછળના ચારવતો વિસ્તારથી ઉચ્ચર્યા નથી, જે દરેક દિવસે વારંવાર ઉચ્ચરાય છે, પણ સંક્ષેપથી તે ઉચ્ચરેલા જ છે, એમ જાણવુંn૪-૯૧૯ પ્રજ, જે દુw પનો . આ ગાથા શ્રાવકે સૂતી વખતે ઉચ્ચરી હોય, પછી નિદ્રા ઉડી જતાં સાંસારિક કાર્ય કર્યું, અને સૂઈ જાય, તે વખતે ફરીથી ગાથા ઉચ્ચરવી જોઈએ? કે નહિ? ઉત્તર:-શ્રાવક સૂતી વખતે એવું પચ્ચકખાણ કરીને સુવે, કે “જો રાત્રિમાં મરણ થાય, તો આહાર વિગેરે તમામ વસ્તુ વોસિરાવું છું” પછી કોઈ કદાચ નિદ્રા ઉડી જવાથી સાંસારિક કાર્ય કરી લે, તો પચ્ચકખાણનો ભંગ થતો નથી. ૪-૯૨૦ પ્રઃ કાચાં કાકડી, કેરી વિગેરે લીલાં ફળોમાંથી બીજ કાઢી નાંખવામાં આવ્યા હોય, તો તે બે ઘડી પછી અચિત્ત થાય? કે નહિ? તેમજ તિવિહાર અને દુવિહાર એકાસણામાં તે ફળો કલ્પે? કે નહિ? ઉત્તર:-કાચાં લીલાં ફળોમાંથી બીજ કાઢી નાંખ્યા છતાં પણ બે ઘડી પછી અચિત્ત થતા નથી, કેમકે-તેમાં કટાહનો જીવ પ્રથમ માફક રહે છે, તેમજ તે ફળો તિવિહાર એકાસણામાં કલ્પે નહિ, અને દુવિહાર એકાસણામાં પણ સચિત્તના ત્યાગીને કહ્યું નહિ. પાકાં ફળો બીજરહિત, કર્યા હોય, તો બે ઘડી પછી અચિત્ત થાય છે, તે તિવિહાર એકાસણામાં કલ્પ છે. ૪-૯૨૧
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy