SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૭ બન્નેનું મળતાપણું તો છમ્માસાક્ષેત્તે આ પદમાં પ્રાકૃતશૈલીએ ષણ્માસ આયુષશબ્દમાંથી સપ્તમીવિભકિતના એકવચનનો લોપ કરવાથી શિષ્યતે-વિશિષ્યતેઽધિવિતે કૃતિ રોષ ઃ આ વ્યુત્પત્તિ કરી તેથી શેષ શબ્દ, અધિકવાચી બનાવ્યો, તેથી “કાંઈક અધિક છમાસ આયુષ” એવો અર્થ કરવાથી જાણવું, અથવા છમાસ શબ્દથી અધિકશબ્દનો લોપ થયેલો માન્યો, તેથી જાણવું. ॥ ૩-૬૯૧ ॥ પ્રશ્ન નારકી કરતાં નિગોદના જીવને અધિક દુ:ખ હોય? કે નિગોદ કરતાં નારકીને અધિક દુ:ખ હોય? ઉત્તર :——નિશ્ચયથી નારકી કરતાં નિગોદના જીવને જન્મ મરણ વિગેરે અને એક શરીરમાં અનંતા જીવોનું રહેવું વિગેરે રૂપ અધિક દુ:ખ છે, પરંતુ તેઓ મૂર્છિત અવસ્થાદિકવાળા છે, તેથી અતિદુ:સહ નથી. વ્યવહારથી તો નિગોદ કરતાં નારકીઓને પરમાધામિકોએ કરેલ વેદના વિગેરે સ્વરૂપ મોટું દુ:ખ છે. એમ વૃદ્ધોનું કથન છે. ॥ ૩-૬૯૨ ॥ પ્રશ્ન : લાંબા કાળના અને અલ્પકાળના નિગોદજીવોને સરખું દુ:ખ હોય? કે ન્યૂનાધિક હોય ? ઉત્તર :— તેઓને વ્યવહારથી તો સરખું મનાય છે. નિશ્ચયથી તો કેવળિગમ્ય છે. ॥ ૩-૬૯૩ ॥ પ્રશ્ન: અનાદિ નિગોદના જીવો કયા કારણોથી બહુ કર્મ બાંધીને નિગોદમાં પડયા રહે છે? ઉત્તર :— પ્રવાહની અપેક્ષાએ અનાદિકર્મના સંબંધે ત્યાં રહે છે. ૫૩-૬૯૪૫ - પ્રશ્ન: કેટલાક નિગોદજીવો લઘુકમી થઈને વ્યવહાર રાશિમાં આવે છે. તેઓને લઘુકીપણું થવામાં શું કારણ હોય ? - ઉત્તર :— તેઓને લઘુકીપણામાં તથાભવ્યત્વનો પરિપાક વિગેરે કારણ છે. ॥ ૩-૬૯૫॥ પ્રશ્ન: શ્રીરાયપસેણીયમાં સૂર્યાભદેવના શીઘ્રગમનનામના વૈક્રિયવિમાનનું અંદરની ભૂમિકાનું જે વર્ણન તેમાં પાંચવર્ણના રત્નોનું જે વર્ણન છે તેમાં પાંચવર્ણવાળાં અશોક-કણવીર-બંધુજીવ વૃક્ષો લીધેલાં છે, અને ટીકામાં પ્રસિદ્ધ છે, એમ વ્યાખ્યા કરી છે, તે વૃક્ષો કર્યાં? અને તેઓને શું પાંચવર્ણોવાળાં પુષ્પો હોય?
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy