SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ દેખાય છે. તો તે બન્નેનું એકપણું થઈ જાય છે, માટે આનો નિર્ણય જણાવવા કૃપા કરશો? ઉત્તર:-સાડા આઠ કરોડ સાથે શાંબ, અને પ્રદ્યુન સિદ્ધાચલ ઉપર મોશે ગયા છે, જે રેવતાચલ ઉપર તેના નામના બે શિખર દેખાય છે, તે નામો તો ત્યાં તેમણે જઈ કાઉસ્સગ્ન ધ્યાન વિગેરે ક્યું હોય તેથી જ પડેલા હોય. I ૩-૫૬૪ પ્રશ્ન: જિનાલયમાં ક્ષેત્રપાલની પ્રતિમાને માનવામાં પૂજવામાં અને સિંદૂર ચઢાવવામાં સમક્તિને દૂષણ લાગે? કે નહિ? ઉત્તર:-ક્ષેત્રની રક્ષા કરનાર હોવાથી ક્ષેત્રપાલની મૂર્તિને સિંદૂતેલ ચઢાવવામાં દૂષણ લાગતું નથી. પરંતુ માનતા કરવામાં સમકિતને દૂષણ લાગે છે. ૧૩-૫૬પા. મ: કલ્પસૂત્રમાં વહયુ હત્યા આ પાઠમાં વીર ભગવાનનો જન્મ ઉત્તરા ફાલ્ગનીમાં કહ્યો, તે કેવી રીતે સંભવે? કેમકે-જે નક્ષત્રમાં [ગર્ભમાં ઉત્પન્ન થાય, તેથી તેરમા નક્ષત્રે જન્મ થાય છે. ઉત્તર:-જે નક્ષત્રમાં [ગર્ભમાં] ઉત્પન્ન થાય; તેથી તેમાં નક્ષત્રમાં જન્મ થાય એવો નિયમ જાગ્યો નથી. ૩-૫૬૬ મ: પોસહ પાર્યા પછી સ્ત્રી ભોગવે, તો પોસહને દૂષણ લાગે કે નહિ? ઉત્તરઃ–પોસહને દૂષણ લાગતું નથી, પરંતુ પર્વતથિની વિરાધના કરે છે. |૩-૫૬ પ્રશ્ન: જાવજીવ સુધી રાત્રિનું ચોવિહાર પચ્ચકખાણ કરનારો હોય, તેને સ્ત્રી ભોગવવામાં તેનો ભંગ થાય કે નહિ? ઉત્તર:–“સ્ત્રી ભોગવવામાં હોઠે ચુંબન કરવામાં આવે, તો ચોવિહારનો ભંગ થાય છે, અન્યથા થતો નથી,” એમ શ્રાદ્ધવિધિનું વચન છે. ૩-૫૬૮ પ્રશ્ન: પોસહને ઠેકાણે દેશાવકાશિત કર્યું હોય, તો તેની વિધિ શો? તેમજ દેશાવકાશિકમાં પૂજા, સ્નાત્ર, વિગેરે અને સામાયિક કરવા કલ્પે? કે નહિ? ઉત્તર:-રેસાવારિસ વોક પરમો પદવેવરાજ ઈત્યાદિક દેશાવકાસિક ઉચ્ચરવાનો વિધિ છે, અને જે ધર્મ અનુષ્ઠાન ચિંતવેલ હોય, તે મુજબ પૂજા, સ્નાત્ર વિગેરે અને સામાયિક કરાય છે, તેમાં કાંઈ એકાંત નથી. તે ૩-૫૬૯
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy