SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ પંડિત કહાનજી ગણિકૃત પ્રશ્નોત્તરો. પ્રશ્ન: તીર્થંકર મહારાજાનું દાન અભવ્ય જીવો પામે ? કે નહિ ? ઉત્તર :— અભવ્ય જીવો પામે નહિ, એમ વૃદ્ધવાદ છે, પણ ગ્રંથમાં અક્ષરો જોયાનું યાદ નથી. ૫૨-૩૩૪૫ પ્રશ્ન: “અભવ્ય જીવો શત્રુંજ્ય તીર્થ સ્પર્શે નહિ,” તેવા અક્ષરો કયા ગ્રંથમાં છે? ઉત્તર :— અમવ્યા: વાપિનો નીવા નામું પશ્યન્તિ પર્વતમ્। लभते चापि राज्यादि, नेदं तीर्थं हि लभ्यते ॥ १ ॥ પાપી અભવી આ તીર્થને નજરે દેખે નહિ, કદાચ રાજ્ય વિગેરેને પામે, પણ આ તીર્થને પામી શકે નહિ, એમ શત્રુંજ્યમાહાત્મ્યમાં છે. ૨-૩૩૫ પ્રશ્ન: ઈશાન ઈંદ્રના ક્રોધથી બલિચંચા રાજધાની ભાઠાના અંગારના કણીયા સરખી થઈ ગઈ, તે સાચું? કે સાક્ષાત્ અંગારભૂત થઈ ગઈ, તે સાચું ? - ઉત્તર :— મૂત શબ્દ ઉપમા વાચી હોવાથી, દેવતાઈ પ્રભાવથી અલિયંચા રાજધાની અંગારાદિ સરખી થઈ ગઈ, એમ સંભવે છે. ૨-૩૩૬॥ પંડિત કનકકુશલ ગણિકૃત પ્રશ્નોત્તરો. પ્રશ્ન : ભદ્રબાહુ સ્વામીજીએ નવમા પૂર્વથી ઉદ્ધરેલું કલ્પસૂત્ર પર્યુષણાના પાંચ દિવસમાં વંચાતું હજુ સુધી ચાલ્યું આવે છે, પણ સુધર્મા ગણધર વિગેરે આચાર્યોના સમયે પશુસણમાં કર્યું શાસ્ત્ર વંચાતું હતું ? ઉત્તર :— સુધર્મા સ્વામી આદિ મહાપુરુષો પશુસણમાં નવમા પૂર્વમાં રહેલું આ જ અધ્યયન યથાસ્થિત વ્યાખ્યાન કરતા હતા, એમ સંભવે છે. ૫૨-૩૩૭ણા પ્રશ્ન ગાય, ભેંસ, બકરી વિગેરેના ઘીની પેઠે, ખારૂં અને મીઠું પાણી અને ગાય ભેંસ વિગેરેની છાશ એક દ્રવ્ય ગણાય? કે જુદા જુદા દ્રવ્ય ગણાય? શ્રાદ્ધવિધિમાં તો આ પ્રકારે કહ્યું છે કે ‘જુદું નામ હોય, અને સ્વાદ જુદો હોય, તો જુદું દ્રવ્ય ગણાય.' પણ છાશ વિગેરેમાં
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy