SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ નાત-જાતનો સંબંધ નથી ઈહાં શીખલેજો સો કોઈ... વાણીયો૦ ૯ પાપ કર્યું તે પાસે રહેશે સ્વજનો ખાશે આથ વિશુદ્ધવિમલ કહે વીરજીની વાણી આવે કમાઈ સાથ...વાણીયો૦ ૧૦ [?] ૪૧૮. શિખામણની સજ્ઝાય અણસમજુને શી શિખામણ દઉં રે મન માને નહિં જીવ મારૂં મારૂં મિથ્યા કરવું એક પેટ બહુ પ્રપંચે ભરવું થોડું જીવવું ને ફૂલી ફરવું. અણસમજુને ૧ ભોળો વિષય મળ્યો ને કરે વાતલડી મુખે મીઠું બોલે ને હૈયે કાતરડી એ તો જાશે નરકની સાતલડી... અણસમજુને૦ ૨ તમે સાહયબી દેખીને મન મ્હાલો છો તમે અહંકાર અભિમાન આણો છો વળી જમ લઈ જાશે તે જાણો છો... અણસમજુને૦ ૩ ઘરે હાથી ઘોડાને વેલ અંબાડી ચારે દિશે આણ ફરે તોરી પાસે નથી પુણ્યની પુંજી સારી... અણસમજુને૦ ૪ એક ભાગ્યવતી સાથે ભમતો પાસે પૈસા છે ને પુણ્ય નથી કરતો એ તો દીઠો દીવી પેઠે બળતો... એક ચંપા વિના શી ચંપેલી સાંજ પડે ને ચકવા ચક્રવી જોડી અણસમજુને૦ ૫ એક નેમ વિના રાજુલ ઘેલી... અણસમજુને ૬ એક પંડિત મહા મુનિવર ડાહ્યા એ તો ધ્યાન મેલી ધનને ધ્યાયા એને ઝડપ લઈ કાળે ઝાલ્યા... અણસમજુને૦ ૭ અણસમજુને૦ ૮ એક રૂપવિજય કહે સાચું છે કાયાને રહેવું કાચું છે મહાવીરે ભાખ્યું તે સાચું છે... [X] ૪૧૯. શ્રાવક કરણીની સજઝાય (રાગ : આદિ જિનેશ્વર પાય પ્રણમેવ) શ્રાવક તું ઉઠે પરભાત, ચાર ઘી રહે પાછલી રાત; મનમાં સમરે શ્રી નવકાર, જેમ પામે ભવસાયર પાર. ૧ કવણ દેવ વણ ગુરુ ધર્મ, વણ અમારું છે ફુલ કર્મ; કવણ અમારો છે વ્યવસાય, એવું ચિંતવજે મનમાંય. ૨ સામાયિક લેજે મનશુદ્ધ, ધર્મતણી હિયડે ધરજે બુદ્ધ; સજ્ઝાય સરિતા ૬૮૩
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy