________________
દીપવિજય કવિરાજજી પ્રભુ દીએ વરસી રે દાન જગમાં કહેવાય ઉજળા એ ફુદડીયાળાના માન... રૂપિયાની શોભારે શી કહું ૧૧
૩૯૧. પ્રતિક્રમણની સજ્ઝાયો (૧) કર પડિક્કમણું ભાવશું, સમભાવે ચિત્ત લાય; અવિધિ દોષ જો સેવશોજી, તો નહિ પાતક જાય, ચેતનજી ! એમ કેમ તરશોજી. ૧
સામાયિકમાં સામટીજી, નિદ્રા નયણે ભરાય; વિકથા કરતાં પારકીજી, અતિ ઉન્નસિત મન થાય. ચેતનજી૦૨ કાઉસ્સગમાં ઉભા થકા, કરતાં દુ:ખે રે પાય;
નાટક પ્રેક્ષણ જોવતાંજી, ઉભા રચણી જાય. ચેતનજી૦ ૩ સંવરમાં મન નવિ રૂચેજી, આશ્રવમાં હુંશિયાર; સૂત્ર સુણે નહિ શુભ મનેજી, વાત સુણે ધરી પ્યાર. ચેતનજી૦૪ સાધુજનથી વેગલોજી, નીચશું ધારે નેહ;
કપટ કરે ક્રોડો ગમેજી, ધર્મમાં ધ્રુજે દેહ. ચેતનજી૦ ૫
ધર્મની વેલા વિ દીએજી, ફૂટી કોડી રે એક; રાજાએ રૂંધ્યો થકોજી, ખૂણે ગણી દીએ છેક. ચેતનજી૦ ૬
જિનપૂજા ગુરુ વંદનાજી, સામાયિક પચ્ચકખાણ; નવકારવાલી નિવ રૂચેજી, કરે મન આર્તધ્યાન. ચેતનજી૦ ૭
ક્ષમા ક્યા મન આણીયેજી, રીયે વ્રત પચ્ચકખાણ; ધરીયે મનમાંહિ સદાજી, ધર્મ-શુક્લ દોય ધ્યાન. ચેતનજી૦૮ શુદ્ધ મને આરાધશોજી, જો ગુરુના પદપદ્મ; રૂપવિજય કહે પામશોજી, તો સુર શિવસુખ સવ. ચેતનજી૦ ૯
• [?] ૩૯૨. પ્રતિક્રમણની સજ્ઝાયો (૨) કર પડિક્કમણું ભાવશું, દોય ઘડી શુભ ધ્યાન લાલ રે; પરભવ જાતાં જીવને, સંબળ સાચું જાણ લાલ રે. કર૦ ૧
સજ્ઝાય સરિતા
૬૬૫