________________
ઢાળ ૪ : ચોથે પદે ઉવજઝાયનું, ગુણવંતનું ધરો ધ્યાન રે; યુવરાજ સમ તે કહ્યા, પદ સૂરિ ને સમાન રે. ચોથે ૧ જે સૂરિસમાન વ્યાખ્યાન કરે, પણ મન ન ધરે અભિમાન રે; વળી સૂત્ર અર્થનો પાઠ દીયે, ભવિજીવને સાવધાન રે. ચોથે ૨ અંગ અગિયાર ચૌદ પૂર્વ જે, વલી ભણે ભણાવે જેહ રે; ગુણ પચવીશ અલંક્ય, - દષ્ટીવાદે અર્થના ગેહ રે. ચોથે) ૩ બહુ નેહે અર્થ અભ્યાસે સદા, મન ધરતા ધર્મ ધ્યાન રે; કરે ગચ્છ નિશ્ચિત પ્રવર્તક, દીયે સ્થવિરને બહુ માન રે. ચોથ૦ ૪ અથવા અંગ અગ્યાર જે વલી, તેહના બાર ઉપાંગ રે; ચરણ કરણની સિત્તરી, જે ધારે આપણે અંગ રે. ચોથ૦ ૫ વલી ધારે આપણે અંગે, પંચાંગી મતે શુદ્ધ વાણ રે; નય ગમ ભંગ પ્રમાણ વિચાર ને, દાખતા જિન આણ રે. ચોથે, ૬ સંઘ સકલ હિત કારીયા, રત્નાધિક મુનિ હિતકાર રે; પણ વ્યવહાર પ્રરૂપતાં, કહે દશ સામાચારી આચાર રે. ચોથે) ૭ ઈન્દ્રિય પંચથી વિષય વિકારને, વારતાં ગુણ ગેહ રે; શ્રી જિનશાસન ધર્મધુરા, નિર્વહિતા શુચિ દેહ રે. ચોથે, ૮ પચવીશી પચવીશ ગુણ તણી, જે ભાખી પ્રવચન માંહી રે; મુક્તાફલ શુતી પરે, દીપે જસ અંગ ઉછાંહી રે. ચોથ૦ ૯ જસ દીપે અતિ ઉષ્ણાંહે, અધિક ગુણે જિનથી એકતાન રે; એહવા વાચકને ઉપમાન શું કહું, જેહથી શુભ ધ્યાન રે. ચોથે ૧૦
ઢાળ ૫ : તે મુનિને કરૂં વંદન ભાવે, જે પટકાય વ્રત રાખે રે; ઈન્દ્રિય પણ દમે વિષય વિકારથી, વણી શાન્ત સુધારસ ચાખે રે.તે ૧ લોભ તણા નિગ્રહ ને કરતા, વલી પડિલેહણાદિક કિરિયા રે; નિરાશસ યતના એ બહુ દીપે, વળી કરણ શુદ્ધિ ગુણ દરિયા રે. તે ૨ અહર્નિશ સંયમ યોગશું યુકતા, દુર્ધર પરિષહ સહેતા રે; મન-વચ-કાય કુશલતા યોગે, વરતાવે ગુણ અનુસરતા રે. તે૦ ૩
સક્ઝાય સરિતા