SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારમાં નથી કોઈ કોઈનું, સૌ સ્વારથીયા સગા વહાલા રે, કર્મ ધર્મ સંયોગે સહુ સાંપડયાં, અંતે જાશે સહુ ઠાલા રે. જાઉં૦ ૩ મારૂં મારૂં મ કરો પ્રાણીયા, તારૂં નથી કોઈ એણી વેળા રે, ખાલી પાપના પોટલા બાંધવા, નરકમાં થાશે હેલમઠેલા રે. જાઉ૦ ૪ ગરજ સરે જો એહથી, તો સંસાર મુનિ કેમ છોડે રે, પણ જુઠી બાજી છે સંસારની, ઈન્દ્રજાળની બાજી તોલે રે. જાઉ પ નગારા વાગે માથે મોતના, કેમ નિશ્ચિંત થઈને સૂતો રે, મધુબિંદુ સુખની લાલચે, ખાલી કિચડમાં કેમ ખૂંતો રે, જાઉ ૬ લાખ ચોરાસી જીવાયોનિમાં, નથી છૂટવાનો કોઈ આરો રે, એક જ મક્ષ વૈરાગ્ય છે, તમે ધર્મરતન સંભારો રે. જાઉ૦ ૭ ૨૮૪. વૈરાગ્યની સજ્ઝાય તન ધન જોબન કારમુજી રે, કોના માત ને તાત; કોના મંદિર માળિયાંજી રે, જેસી સ્વપ્નની વાત. સૌભાગી શ્રાવક ! સાંભળો ધર્મ સજ્ઝાય. ૧ ફોગટ ફાંફાં મારવાજી, અંતે સગું નહિ કોઈ; ઘેબર જમાઈ ખાઈ ગયોજી, ફુટાઈ ગયો કંદોઈ. સૌ૦ ૨ પાપ અઢાર સેવીનેજી, લાવે પૈસો એક; પાપના ભાગી કો નહીંજી, ખાવાવાળા છે અનેક. સૌ૦ ૩ જીવતાં જસ લીધો નહીંજી, મુવા પછી શી વાત; ચાર ઘડીનું ચાંદણુંજી, પછી અંધારી રાત. સૌ૦ ૪ ધન્ય તે મોટા શ્રાવકોજી, આણંદ ને કામદેવ; ઘરનો બોજો છોડીનેજી, વીર પ્રભુની કરે સેવ. સૌ૦ ૫ બાપ દાદા ચાલ્યા ગયાજી રે, પૂરા થયા નહિ કામ; કરવી દેવની વેઠડીજી, શેખચલ્લીના પરિણામ. સૌ૦ ૬ જો સમજો તો શાનમાંજી, સદ્ગુરુ આપે છે જ્ઞાન; જો સુખ ચાહો મોક્ષનાજી, ધર્મરત્ન કરો ધ્યાન. સૌ૦ ૭ સાય સરિતા ૫૭૫
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy