________________
લઘુવય દેખી હરખે પૂછે પ્રભુ તુહ કોમલ કાય રે...
ધન ધન શ્રી ઋષિ૦ ૩ આ તુહ રૂપ અનોપમ યૌવન તરૂણીજન આધાર રે ઈતિ અવસર નારીરસ લીએ વડપણ સંયમ ભાર રે...
ધન ધન શ્રી ઋષિ૦ ૪ ધ્યાનપારી તવ મુનિવર બોલે રાજન હું છું અનાથ રે નાથ વિના સંયમ મેં લીધું નૃપ કહે હું તુહ નાથ રે...
ધન ધન શ્રી ઋષિ૦ ૫ જોઈએ તે તુમહને હું પૂરું લ્યો તુહે એ બહુ આથ રે મુનિ કહે રાજન નાથ ન તાહરે કિમ થાઈશ મુઝ નાથ રે ?...
ધન ધન શ્રી ઋષિ૦ ૬ રાય કહે હય-ગ-રથ-પાયક મણિ-માણક ભંડાર રે માહરે છે હું નાથ સહુનો તવ બોલે અણગાર રે...
ધન ધન શ્રી ઋષિ૦ ૭ કોસંબી નયરીનો રાજા મુજ પિતા ગુણવંત રે તાસ કુંવર હું અતિઘણો વલ્લભ લઘુ વય લીલાવંત રે...
ધન ધન શ્રી ઋષિ૦ ૮ એક દિન મુજ અંગે થઈ વેદના ન ટળે કોઈ ઉપાયે રે માત-પિતા માહરે દુઃખે દુ:ખિયાં નારી હૈયડું ભરાય રે..
ધન ધન શ્રી ઋષિ૦ ૯ બહુલ વિલાપ કર્યો તેણીયે મુઝ દુ:ખ નહિ લેવાય રે તવમેં નિર્ણય એવો કીધો ધર્મજ એક સહાય રે...
ધન ધન શ્રી ઋષિ૦ ૧૦ ઈમ ચિંતવતાં વેદન નાઠી પ્રાતઃ સંયમ મેં લીધો રે નાથ-અનાથ તણો એ વિવરો સુણી નરનાથ પ્રસિદ્ધો રે...
ધન ધન શ્રી ઋષિ૦ ૧૧ તે સુણી રાજા સમકિત પામ્યો મુકિત ગયો અણગાર રે વીસમે અધ્યયને જિનવીરે એ ભાખ્યો અધિકાર રે...
- ધન ધન શ્રી ઋષિ૦ ૧૨
// સઝાય સરિતા
૪૦૫