________________
• ૧૧૪. મનોરમા સતીની સજઝાય મોહનગારી મનોરમા, શેઠ સુદર્શન નારી રે; શીલ પ્રભાવે શાસન સુરી, થઈ જસ સાંનિધ્યકારી રે. મો૧ દધિવાહન નૃપની પ્રિયા, અભયા દીએ કલંક રે; કોપ્યો ચંપાપતિ કહે, શૂલી રોપણ વંક રે. મો૨ તે નિસુણીને મનોરમા, કરે કાઉસ્સગ્ગ ધરી ધ્યાન રે દંપતિ શીલ જો નિર્મલું, તો વધો શાસન માન રે. મો૦ ૩ શૂલી સિંહાસન થઈ, શાસન દેવી હજુર રે; સંજમ ગ્રહી થયાં કેવલી, દંપતી દોય સકુર રે. મો૪ જ્ઞાનવિમલ ગુણ શીલથી, શાસન શોભા ચઢાવે રે; સુરનર સવિ તસ કિંકરા, શિવસુંદરી તે પાવે રે. મો૦ ૫
૧૧૫. મયણરેહા સતીની સઝાયો નયર સુદર્શન મણિરથ રાજા યુગબાહુ યુવરાજાજી મયણરેહા યુગબાહુની ઘરણી શીલતણાં ગુણતાજાજી.. ૧ મણિરથ મોહ્યો તેહને રૂપે બંધન કીધો ઘાતજી મયણરેહાએ તે નિઝામ્યો સુરસુખ લહ્યો વિખ્યાત... ૨ ચંદ્રયશા અંગજ ઘરછોડી ગર્ભવતી શીલવંતીજી એકલડી પરદેશે પ્રસવ્યો સુંદર સુત સરપજી... ૩ જ લહથીયે ગગને ઉછાળી વિદ્યાધર લીયે તેહને જી કામવયણ ભાખ્યા પણ ન ચળી, જિમમંદિર ગિરિ પવને... ૪ આશ્વાસી નંદીશ્વરદ્વીપે શાશ્વતતીર્થ ભેટેજી તિહાં જ્ઞાની મુનિ અને નિજાતિસુર, દેખી દુ:ખ સવિ મેટેજી... ૫ પૂરવભવ નિસુણીને સુતનો સવિસંબંધ જણાવ્યોજી મિથિલાપુરીપતિ પવરથ રાજા અધે અપડ્યોં આવ્યો છે... ૬ પુષ્પમાલાને તે સુત આપ્યો નમી ઠવ્યું તસ નામજી
૨૧ ૬
સક્ઝાય સરિતા