________________
ગ્રંથકાશ્રીએ આ લોકની ઉત્તરાર્ધથી જણાવ્યું છે કે આ તાત્ત્વિક સંસ્કારના પણ નિરોધથી બધી જ ચિત્તવૃત્તિઓ પોતાના કારણમાં વિલય પામતી હોવાથી યોગીને અસ...જ્ઞાતયોગની પ્રાપ્તિ થાય છે.
વ્યુત્થાનકાળના સંસ્કાર અને સમાધિકાળના સંસ્કારોથી યુક્ત ચિત્ત પ્રકૃતિમાં લીન થવા છતાં અધિકાર વિશિષ્ટ જ પ્રતીત થાય છે. પરંતુ તે અધિકાર વિરોધી નિરોધસંસ્કારને લઈને હોવાથી તે ભોગ માટે થતો નથી. તેથી આ અસમ્રજ્ઞાતયોગમાં યોગીને શુદ્ધ સ્વરૂપનો આવિર્ભાવ થાય છે... ઈત્યાદિ અન્યત્ર અનુસંધેય છે. ૨૦-૧૩યા
અસમ્પ્રજ્ઞાતસમાધિનું સ્વરૂપ અને તેનું ફળ જણાવાય છેविरामप्रत्ययाभ्यासान्नेति नेति निरन्तरात् । ततः संस्कारशेषाच्च, कैवल्यमुपतिष्ठते ।।२०-१४॥
વિતર્કટિસમાધિની ચિતાના ત્યાગના જ્ઞાનવિશેષના અભ્યાસથી નિરંતર “નહિ..નહિ”-એવી ભાવનાથી(સંસ્કાર-શેષસ્વરૂપ ભાવનાથી) ઉત્પન્ન એવી જીવની અવસ્થાવિશેષસ્વરૂપ અસમ્પ્રજ્ઞાતસમાધિ છે. એ સમાધિથી આત્માને કૈવલ્ય પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વિતર્યાદિ સપ્રજ્ઞાતસમાધિની ભાવનાનો ત્યાગ કરવાના પ્રત્યય(જ્ઞાન)ના વિષયના અભ્યાસથી અર્થાત્ તેમાં વારંવાર ચિત્તનો નિવેશ કરવાથી તેમ જ પૂર્વઅવસ્થાથી પોતાનું સ્વરૂપ વિલક્ષણ