SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ કહે છે. તેમનું કથન એ છે કે વિધાન કરાયેલાં પૂજાદિ કર્મથી અને નિષેધ કરાયેલાં હિંસાદિ કર્મથી ભવાંતરમાં જે સુખ અને દુઃખ વગેરે સ્વરૂપ ફળની પ્રાપ્તિ થાય છે, તે ફળની પ્રાપ્તિ વખતે (તેની અવ્યવહિત પૂર્વક્ષણે) તે તે પૂજા અને હિંસાદિ સ્વરૂપ કર્મ-અનુષ્ઠાન ન હોવાથી તે અનુષ્ઠાનજન્ય અદષ્ટ (પુણ્ય-પા૫)-કર્મની કલ્પના કરાય છે, જેથી પૂર્વજન્મનાં તે તે અનુષ્ઠાનો પોતાથી જન્ય એવા અદટ(ધર્માધર્મ)-કર્મ દ્વારા પરલોકમાં સુખ-દુઃખાદિનાં જનક બને છે. પરંતુ એ માટે અદષ્ટ-દૈવની કલ્પના કરવાની જરૂર નથી. કારણ કે પૂજાદિ તે તે અનુષ્ઠાનોથી પોતાના ધ્વંસ દ્વારા તે તે સુખદુઃખાદિ કાર્યોની ઉત્પત્તિ થઈ શકે છે. “આ રીતે અદષ્ટકર્મને કારણ માનવામાં આવે નહિ અને તે તે અનુષ્ઠાનના ધ્વસને કારણ માનવામાં આવે તો પૂજાદિ અનુષ્ઠાનોથી, તેનો ધ્વસ સર્વદા વિદ્યમાન હોવાથી નિરંતર સુખ-દુઃખાદિ ફળ પ્રાપ્ત થયા જ કરશે, ક્યારેય ય તેનો વિરામ નહીં થાય. અદષ્ટને કારણ માનવાથી જ્યારે ચરમ સુખદુઃખાદિના ભોગથી અદષ્ટનો નાશ થશે એટલે ત્યારે ફળનો ઉપરમ થશે. ધ્વસનો નાશ થતો ન હોવાથી ફળનો ઉપરમ(વિરામ) નહીં થાય. તેથી ફળના ઉપરમની અનુપપત્તિ ન થાય એ માટે અદષ્ટની કલ્પના કરવી જોઈએ.”-આ પ્રમાણે નહીં કહેવું. કારણ કે અદષ્ટનો સ્વીકાર કર્યા પછી પણ કાલાંતરે જ(વિવક્ષિત કાળે) ફળની પ્રાપ્તિ થાય છે. તેનાથી ભિન્ન કાળમાં તો અદષ્ટ
SR No.023222
Book TitleDaiv Purushkar Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy