________________
વૈરાગ્ય અપેક્ષિત છે અને પછી અભ્યાસ ઉપયોગી બને છે. ||૧૧-૯લા
જે
વૃત્તિઓના નિરોધમાં વૈરાગ્ય કઈ રીતે ઉપયોગી બને છે તે જણાવીને હવે તેમાં અભ્યાસ કઈ રીતે ઉપયોગી બને છે, તે જણાવાય છે
निरोधे पुनरभ्यासो, जनयन् स्थिरतां दृढाम् । परमानन्दनिष्यन्दशान्तस्रोतः प्रदर्शनात् ॥ ११-१०॥
“ચિત્તવૃત્તિઓના નિરોધમાં અભ્યાસ, અત્યંત સ્થિરતાને ઉત્પન્ન કરતો પરમાનંદના ઝરણાના શાંતરસના પ્રવાહનું સારી રીતે દર્શન કરાવતો હોવાથી ઉપયોગી બને છે.’’-આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવામાં પૂર્વે જણાવેલો અભ્યાસ અત્યંત દૃઢ એવી સ્થિરતાને પ્રાપ્ત કરાવે છે.
એ વખતે શ્રેષ્ઠતમ સુખરૂપ સમુદ્રના ઝરણા સ્વરૂપ શાંતરસના પ્રવાહનું સારી રીતે દર્શન થવાથી ચિત્ત સુખમાં મગ્ન બને છે. તેથી મનને બાહ્ય વિષયો તરફ જવાનું જ બનતું નથી. જેને જ્યાં આનંદ આવે તેનાથી બીજે જવાનું તેને ન જ બને એ સમજી શકાય છે. આ રીતે ચિત્તની-દઢ સ્થિરતા દ્વારા ચિત્તના નિરોધમાં(ચિત્તવૃત્તિનિરોધમાં) અભ્યાસ ઉપયોગી બને છે. શ્લોક નં. ૯માનું વૈરાગ્યમુદ્યુતે અહીં રહેલા પમુખ્યતે આ પદનો સંબંધ
૧૯