SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ તેથી તેને કાર્યતાવચ્છેદક મનાશે નહિ. ઘટાદિ કાર્યમાં રહેનાર કાર્યત્વને જ કાર્યતાવચ્છેદક માનવું જોઈએ. જેથી કાર્યસામાન્યની પ્રત્યે કાર્યત્વ અને કર્તૃત્વ સ્વરૂપે કાર્યકારણભાવ સિદ્ધ હોવાથી સિત્યાદ્રિ સર્તુમ્ ...આ અનુમાન અપ્રયોજક નથી. પરંતુ યા કાર્ય ત ાં (જે કાળે કાર્ય છે, તે કાળે કર્તા છે.) આવા પ્રકારના કાલિકસંબન્ધઘટિત કાર્યકારણભાવમાં કાલિકસંબન્ધથી કાર્યત્વ ઘટત્વ, પટવાદિ અનેક ધર્મસ્વરૂપ હોવાથી કાર્યતાવચ્છેદક તરીકે કાર્યત્વને નહિ માની શકાય. જ્યાં જ્યાં ઘટાદિ કાર્ય છે, ત્યાં ત્યાં તેની અવ્યવહિત પૂર્વે કુલાલાદિની કૃતિ હોય છે. તેથી ઘટાદિકાર્યોમાં કૃત્યવ્યવહિતોત્તરત્વ છે, તેને જ ઘટાદિ કાર્યમાં રહેલી કાર્યતાનો અવચ્છેદક માનવો જોઈએ. જોકે કૃત્યવ્યવહિતોત્તરત્વ પણ જાતિ ન હોવાથી તેને ઘટાદમાં રહેલી કાર્યતાનો અવચ્છેદક માનવાનું ઉચિત નથી. પરન્તુ સ્વાશ્રય(કૃતિત્વાશ્રયકૃતિ)પ્રયોજ્યત્વ વગેરે પરમ્પરાસંબધથી કૃતિત્વ જાતિને ઘટાદિમાં રહેલી કાર્યતાની અર્થાત્ કર્તામાં રહેલી જનકતાનિરૂપિતજન્યતાની અવચ્છેદક માનવી જોઈએ. આથી સમજી શકાશે કે કર્તાસામાન્ય અને કાર્યસામાન્ય : એ બેમાં કાર્યકારણભાવ સિદ્ધ ન હોવાથી સિત્યાદ્ધિ કાર્ય–ાત્ ઈટાતિવત્ આ અનુમાન પ્રયોજક નથી..૪-૧ના ઉપર જણાવ્યા મુજબ કર્તાસામાન્ય અને કાર્યસામાન્ય : એ બેમાં કાર્યકારણભાવ અસિદ્ધ હોવાથી ક્ષત્યાતિ સર્જીવ વાર્યત્વદ્ આ અનુમાન અપ્રયોજક છે – એમ માનવાની જરૂર નથી. કારણ કે સિત્યાદિમાં કાર્યત્વ (હેતુ) હોય અને સકતૃત્વ ન હોય તો જ સત્ત્વ અને કર્ણાસામાન્ય : એ બેનો ૨૮)
SR No.023209
Book TitleJin Mahatva Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy