SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ જોકે ઉપર જણાવ્યા મુજબ ઘટાદિ કાર્યમાં કર્રપ્રયોજ્યત્વવિશેષ જાતિ પણ પ્રસિદ્ધ નથી. કારણકે પૃથ્વીત્વ વગેરે જાતિની સાથે સાંક્ય આવે છે. પૃથ્વીત્વને છોડીને કપ્રયોજયત્વવિશેષ જાતિ સંયોગાદિમાં રહે છે અને એ વિશેષ જાતિને છોડીને પૃથ્વીત્વ ક્ષિતિ વગેરેમાં રહે છે. તેમ જ ઘટાદિમાં એ બંને જાતિઓ રહે છે. (પરસ્પરના અભાવમાં જે જાતિઓ રહેતી હોય અને પરસ્પરનું સામાનાધિકરણ્ય જેમાં હોય તે જાતિમાં સાર્થ આવે છે.) આ રીતે ઘટાદિ કાર્યમાં કર્રપ્રયોજયત્વવિશેષ જાતિ, સાર્થના કારણે માની શકાશે નહિ. પરંતુ ઉપાધિ(ઘટત્યાદિ જાતિને છોડીને સામાન્ય ધર્મ) સાંક્ય જેમ દોષાધાયક નથી તેમ જાતિસાર્થ પણ દોષાધાયક ન હોવાથી ઉપર જણાવ્યા મુજબ ઘટાદિ કાર્યમાં (ક્ષિત્યાદિ -વ્યાવૃત્ત) કર્તૃપ્રયોજયત્વવિશેષ જાતિ માની શકાશે. આશય એ છે કે ભૂતત્વ(પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ: આ પાંચમાં રહેનાર ધર્મવિશેષ)ને છોડીને ગાયત્વ મનમાં છે. વેગાશ્રયત્નને છોડીને ભૂતત્વ આકાશમાં છે અને ભૂતત્વ અને વેગાશ્રયત્ન : બંને પૃથ્વી વગેરે ચારમાં છે. આ પ્રમાણે ભૂતત્વ અને વેગાશ્રયત્નમાં સાંક્યું હોવા છતાં જેમ ભૂતત્વ અને વેગાયત્વ: બંને ઉપાધિ મનાય છે તેમ સાંક્યું હોવા છતાં જાતિ માનવામાં કોઈ દોષ નથી - આ પ્રમાણે તમારા જ (નવીન તૈયાયિકોએ) લોકોએ જણાવ્યું છે. જોકે પ્રાચીન નૈયાયિકો સાંક્યને દોષાધાયક માનતા હોવાથી ક્ષિતિ વગેરેમાં નહિ રહેનાર અને ઘટાદિ કાર્યમાં રહેનાર એવા કર્તૃપ્રયોજ્યત્વવિશેષ સ્વરૂપ જાતિની સિદ્ધિ થતી નથી, (૨૭)
SR No.023209
Book TitleJin Mahatva Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy