SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૮ ) પરાભવ કર્યાં. વિધાધર ત્યાંથી પણ નાસી છુટયા. કુમાર પણ તેની પુૐ પડયા. ઘેાડાજ વખતમાં તે વિદ્યાધરને વૈતાઢય પાહાડ ઉપરની સુરમ્ય નગરીના રાજમહેલસાં પ્રવેશ કરતા, કુમારે દીઠા. સુરમ્ય નગરીને જોતાંજ કુમાર વિચારમાં પડયેા કે, અહા ! આ વિધાધર તે તે મારા પાલક પિતા છે. આ તેમના મહેલ, આ મારી પાલકમાત! રત્નાવળી. હા ! હા ! મેં ધણું અપેાગ્ય કામ કર્યું. મારા પાલક પિતાને મેં તીત્ર પ્રહાર કર્યાં છે. આ મારા પાલક પિતાએ વાસલ્યભાવથી બાલ્યાવસ્થાથી લઈ, લાલન, પાલન કરી મને ઉછેરીને મોટા કર્યાં, અનેક પ્રકારની વિધા શીખવાડી, તે પૂજય પિતા, ગુરૂની માક મને નિરંતર પૂજનીય છે. તેને મે' રણમાં હરાવ્યા. તેથી નિર’તરને માટે મારા આત્માને મે' કલંકિત કર્યાં ત્યાદિ ચિંતા અને શાકમાં નિમગ્ન થયેલા કુમારને દેખી, તે વિદ્યાધરપતિએ પાસે આવી તેને ખેલાવ્યા કે, પુત્ર ! શાક નહિ કર, સ્વામીના ક્રાય માટે પિતાને પણ્ પ્રહાર કરવા તે ક્ષત્રીઓના ધમ છે. તેમ તને ખબર પણ ન હતી કે આ મારા પિતા છે. અપેાધ્યાનગરી તરફ તને પ્રસન્ન કરવા માટે મારૂ આગમન થયું હતુ. ત્યાં આવતાં રતિ કે, રંભાથી અધિક રૂપવાન શીળવતી મારા દેખવામાં આવી, તેને શ્વેતાંજ હું તેના પર આસક્ત થયા અને તારૂ રૂપ લઇ મેં તેણીનું અપહરણ કર્યુ. હું વીર્ ! આજપર્યંત પૃથ્વીને વિષે મારા કાઇએ પરાભવ કર્યાં નહતા. તે તારાથીજ હુ પરાભવ પામ્યા છું. તે મને જીતી લીધા છે. તે તારા દૃઢ શીયળનાજ પ્રભાવ છે. તારી માતાનુ તારા પર કાપાયમાન થવું, અને તારૂ શિયળ વિષે દૃઢ રહેવુ' વિગેરે સર્વ હકીકત મારા પરિવારના મુખથી સાંભળી, હું સારી રીતે માહિતગાર થયા છું, ખરાબ, નીચ સ્ત્રીઓના સેાબતથી ઇષ્ટ માસને વિયેાગ, અનિષ્ટ વસ્તુને સંયેાગ, અભ્રંશ નાના પ્રકારની વિત્તિએ અને મરણુની પણ પ્રાપ્તિ થવી તે સુલભ છે.
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy