SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૨) શ્વેત મહાભારત. સુશોભિત દેખાવા લાગી. અનુક્રમે તે ખ ંને ભાઇએ ઉછરી મોટા થયા, જેમ જેમ તે વયમાં વધતા ગયા, તેમ તેમ તેઓ ગુણમાં પણુ વધતા ગયા. એ સદ્ગુણી રાજકુમારા પાતાના જ્યેષ્ટ બધુ ગાંગેયને એક વિડેલ તરીકે ગણુતા અને તેમની આજ્ઞા ઉડાવતા હતા. આવા સદ્ગુણી ખંધુએ તરફ ગાંગેયને સ્વમમાં પણ ‘ તે સાવકાભાઈ છે ’ એવા ભાસ થતા ન હતા. તે તેમની ઉપર સહેાદર બંધુના જેવી પ્રીતિ રાખતા હતા. પુત્રવત્સલ રાજા પેાતાના :પુત્રાને ઉત્સંગમાં બેસાડી હમેશાં વિનાદ કરાવતા અને જ્ઞાનગેાષ્ટીમાં જોડતા હતા. જેવી રીતે તેમનામાં ઉત્તમ કેળવણીનાં બીજ રાપાય તેવી રીતે તેમના કુમળા મનમાં સારા સારા શિક્ષણીય એધ આપતા હતા. એમ કરતાં તેઓ શિક્ષણની ચેાગ્યતાને પામ્યા હતા. અને તેમના પરસ્પર ભ્રાતૃસ્નેહ જોઇ રાજા શાંતનુને હૃદયમાં પૂર્ણ સતાષ પ્રાપ્ત થયા હતા. (6 એક વખતે વિવેકી શાંતનુના જાણવામાં આવ્યું કે, હવે આ શરીરનુ આયુષ્ય અલ્પ છે. અલ્પ સમયમાં આ જીવનના અ`ત આવવા છે ” આથી તેણે વિચાર કર્યો કે, “ મેં આ સંસારના અગણિત ઉત્તમ વૈભવ ભાગવ્યા છે. આ આત્મા શિકારની પાપદ્ધિના ભાક્તા પણ ચિરકાલ થયે છે. વિષયરૂપ વિષવૃક્ષના ફળ મેળવવાને આ આત્માએ અતિ પ્રયત્ન કર્યો છે. હવે પશ્ચિમ વયમાં એ આત્માના ઉદ્ધારના મા` મારે ગ્રહણ કરવા જોઇએ. મનુષ્યે અનેક વસ્તુઓને
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy