SearchBrowseAboutContactDonate
Page Preview
Page 815
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૫૪). જૈન મહાભારત. રોમાંચિત થઈ ગયાં અને તેમનાં નેત્રોમાંથી આનંદાશ્ર ચાલવા લાગ્યાં. પાંડવેને આ વાતેત્સાહ અને પવિત્ર ભાવના જાણી મહામુનિ હૃદયમાં પ્રસન્ન થઈ ગયાં અને હૃદયથી તેમને અભિનંદન આપવા લાગ્યા. - શુભ મુહૂર્ત મહામુનિ ધર્મ ઘેષસૂરિએ દ્રપદી સહિત પાંડને દીક્ષા આપી. પછી પ્રધાને અને પુરજને તેમને વંદના કરી હળવે હળવે પિતાના સ્થાનમાં ચાલતા થયા. અને પછી પાંડે ગુરૂ પાસે કિયાક્રમને અભ્યાસ કરી શરીરમાં પણ નિઃસ્પૃહ થઈ પૃથક્ પૃથક દેશમાં વિહાર કરી ગયા હતા. સતી દ્રોપદી પ્રવત્તિનીના પરિવારમાં સામિલ થઈ વિહાર કરતી હતી. ધર્મવીર પાંડનાં ચારિત્રજીવનને આરંભ અસાધારહ્યું હતું. શમરૂપ સુધાનું પ્રાશન કરી તેઓ તૃપ્ત થયા હતા. ઇંદ્રિયરૂપ દુષ્ટ અને તેમણે વશીભૂત કર્યા હતા. આલસ્ય, પ્રમાદ વિગેરે દુર્ગને તેમણે દૂરથી જ ત્યાગ કર્યો હતે. નિદ્રારૂપ નારીના મુખકમળનું તેઓ અવલોકન કરતા ન હતા. તેઓ સદા દ્વાદશાંગીનું અધ્યયન કરતા અને તેનું જ મનન કરતા હતા. રસેંદ્રના સંસ્કારથી જેમ લેહધાતુ સુવ પણને પામે છે, તેમ પાંડ શ્રુતરૂપ સંસ્કાર કરી ઉત્તમ પ્રકારની ગીતાર્થતાને પ્રાપ્ત થયા હતા. સતી દ્રપદી પણ પ્ર વર્સિનીના ચરણકમળની ઉપાસના કરતી અનુક્રમે તપ, જ્ઞાન અને વિવેકની પરમ સ્થિતિને પામી હતી. મહર્ષિ પાંડે
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy