SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬ ) જૈન મહાભારત. પપુત્રાને અર્પણ કરી તમે તેની પ્રસન્નતા સ’પાદન કરો. હજી પણ તમે જાગ્રત થાએ અને તમારા હિતના વિચાર કરો. તમારા મોટા યાદવકુળનો ક્ષય કરાવશે નહી. એ બંને કરાને વરાથી સોંપી દ્યો. કૃતનાં આવાં ઉદ્ધૃત વચન સાંભળી કૃષ્ણની મુખમુદ્રા ક્રોધથી રક્ત થઈ ગઈ. તે આવેશથી એ—“ અરે ! તું વધારે વાચાળ દેખાય છે. તારા સ્વામીના સદેશા ઉપરાંત લવાની સારો હિંમત લાગે છે? તારા પ્રભુ મને ગેપ કહે છે, તે ખરેખર છે. હું યથાર્થ ગોપજ છે. ‘ખલ પુરૂષ પાસેથી ‘ નો ’ એટલે પૃથ્વીને હરી ‘ પ્’ એટલે પાલન કરે, તે + ગોળ ’ કહેવાય છે. હું પણ તારા પ્રભુના તેવાજ ગેાપ છું. મારી આગળ અધ ભરતપતિ જરાસંઘ શા હિસાબમાં છે. દાવાનળની આગળ ઘાસની ગંજી શી ગણત્રીમાં હાય? જયપ્રાપ્તિનું કારણુ કેવળ ખળજ છે, કાંઇ ઘણું સૈન્ય નથી. એકજ વટાળીએ રૂના મોટા રાશિને ઉડાડી શકે છે. માળહત્યા કરનારા કંસને જરાસ ઘે પક્ષપાત કર્યો, તેથી શું થવાનુ છે? સ્ક્રુષ્ટ કંસના પક્ષપાતી જરાસંઘે મારે પણ શાસન કરવાને ચેાગ્ય થયા. અન્યાય કરનારા કારવાને આશ્રય આપનારે તારા સ્વામી પણ અન્યાયીજ છે. હું અન્યાયને સહન કરી શકતા નથી. અમે તે અન્યાયી કરવાને મારવા માટે યુદ્ધની તૈયારી કરીએ છીએ. જો તારા પ્રભુને તેમાં સામેલ થવુ હોય તા તે સામે આવે અને તેના મનના હેતુ પૂર્ણ કરે. જેમ ܕ
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy