SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ વિદુરવૈરાગ્ય. ( ૫૭૩) પ્રકરણ ૪૦ મું. વિદુરવૈરાગ્ય. એક પ્રાઢ વયના પુરૂષ શાંતજીવનમાં એકલા બેઠા બેઠા વિચાર કરતો હતો. તેની મુખમુદ્રા ઉપર વૈરાગ્યની છાયા પ્રસરી રહી હતી. જાણે આ સંસારની આધિ ઉપાધિથી કંટાળી ગયેા હાય, તેવા તે દેખાતો હતો. તેના પવિત્ર હૃદયમાં અનેક ભાવનાએ પ્રગટ થતી હતી. આ નશ્વર જગત્ ઉપરથી તેનો માનસિક મેહ દૂર થઈ ગયા હતો. ઘણા ઘણા વિચાર કર્યા પછી તે પેાતાના હૃદયમાં આ પ્રમાણે ચિતવવા લાગ્યા —“ આ સંપત્તિ વિપત્તિરૂપ છે. પ્રભુત્વ આધિનુ' ઉત્પાદક છે અને વિષયસુખ વિષરૂપ છે, જેને માટે પુત્ર પિતાને, પિતા પુત્રને, મિત્ર મિત્રને, આંધવ આંધવને, પરસ્પર નિર્દય થઈને હણે છે. પાપથી ઉત્પન્ન થયેલી અને પાપને પ્રસવનારી દુષ્ટની સંપત્તિ ધિક્કારવા ચેાગ્ય છે. વિષલતા વિષે ઉત્પન્ન કરે છે, અને અમૃતલતા અમ્રુત ઉત્પન્ન કરે છે. જેવી લતા તેવાંજ ફળ ઉત્પન્ન થાય છે. સંપત્તિરૂપ ચાંડાળીને આલિંગન કરી મહાપાપી થયેલા દુર્યોધન વગેરે ધર્મરૂપ યુધિષ્ઠિરને સ્પર્શી કરવા માટે પણ અધિકારી નથી. વિષયાના સંગરૂપ કાદવથી જે મનોહર ખરડાયેલા છે એવા દુધનાર્દિક આનંદ યુક્ત થઈ મુક્તિરૂપ સ્રીનુ સેવન કેમ કરશે ? અધરૂપ ચાંડાળના સ્પર્શથી મલિન થયેલા કારવાને રણભૂમિમાં મરણ પામતાં
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy