SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ કમળનું ફુલ. (૪૮૭) નિમત્તની વાત તદ્દન ભૂલી ગઈ. એક વખતે દ્રૌપદીને પાછી કમળપુષ્પોની ઈચ્છા થઈ, તેથી તેણુએ પોતાના પ્રિય પતિ ભીમસેનને કમળપુષ્પ લાવવાને મેકલ્યા. વીર ભીમસેન તે સરેવરમાં પડે અને તરતો તરતો જ્યાં કમળાકર ખીલી રહેલ છે તે સ્થાને આવ્યે. ત્યાં તેણે જળમાં તરવાની અનેક પ્રકારની ક્રીડા કરી. ભીમના ભારે શરીરના અવગાહનથી તે સરેવરનું જળ ક્ષેભ પામી ગયું. પછી બળવાન્ ભીમે કમળના ખીલેલા પુષ્પોને ચુંટવા માંડયા અને તેને તે કિનારા પર ફેંકવા લાગ્યા. ત્યાં એકઠા થયેલા કમળપુને દ્રુપદનંદિની વીણી વીણું એકત્ર કરવા લાગી અને તેથી તે પોતાને મનેરથ સફળ થયેલ જાણું હૃદયમાં અતિ આનંદ પામવા લાગી. આ વખતે યુધિષ્ઠિર વગેરે સર્વ રાજકુટુંબ સરેવરના તીર ઉપર આવી તે ભીમસેનની જળક્રીડા અને પદીની ક્રીડા જેતું હતું. આ વખતે ભીમસેને અકસ્માત ડુબકી મારી અને તે જળની અંદર ઊંડે ચાલ્યા ગયે. ઘણીવાર થઈ તે પણ તે બાહેર આવે નહિં. ત્યારે તીર ઉપર બેઠેલા યુધિષ્ઠિર વગેરે સત્વરચિંતાતુર થઈ ગયા. પ્રાણનાથના દર્શન કરવાને આતુર એવી પદી આકુળ-વ્યાકુળ થઈ ગઈ. અને કુંતી પણ ઉદાસ થઈ પુત્ર મુખને જેવા આતુર બની ગઈ. ઘણીવાર થઈ તેપણ ભીમ જળની બહાર આવ્યું નહિં. એટલે કુંતી અને દ્વિપદીએ આજંદ કરવા માંડયું. સર્વત્ર હાહાકાર થઈ
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy