SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ કમળનું ફુલ. (૪૮૩) કુટુંબમાં સામેલ હતી, તે વખતે મારી સગર્ભા સ્થિતિ થઈ હતી. આપની આજ્ઞાથી જ્યારે હું મારા ભ્રાતૃગૃહમાં ગઈ ત્યાં મારા ઉદરમાંથી આ કુમારનો જન્મ થયે છે. એ તમારા પરાકમી બંધુને પુત્ર છે. તે સ્ત્રીનાં આ વચન સાંભળી તે કુટુંબપતિ અતિશય આનંદ પામી ગયે, અને તેણે તે કુમારને ઉરસંગમાં લઈ પિતાના હૃદય સાથે દાખે અને તેના કમળ મુખ ઉપર ચુંબન કરવા માંડયું. પ્રિય જ્ઞાનાભિલાષી વાચકવૃંદ, આ વાર્તાના પ્રસંગને માટે તમારા હૃદયમાં જિજ્ઞાસા ઉત્પન્ન થઈ હશે, તે તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે, તે સાવધાન થઈને મનન કરજે.. સગુણી ગુરૂભક્તા દ્રપદી અર્જુનને મળ્યા પછી વિશેષ હર્ષિત થઈ હતી. પિતાના પતિ અર્જુનના વનવાસના વિજયની વાર્તા સાંભળી એ વિદુષીબાબા વનવાસના દુ:ખને ભુલી ગઈ હતી. એક વખતે દ્રૌપદી ગંધમાદન પર્વતના આશ્રમ સ્થાનમાં બેઠી હતી, તેવામાં એક કમળનું પુષ્પ પવનથી ઉડીને તેના ઉસંગમાં આવી પડ્યું. સુંદર પાંખડીવાળું અને સુગંધથી મનહર એ કમળનું પુષ્પ જોઈ પાંડવરમણી હદયમાં અત્યંત પ્રસન્ન થઈ અને તે પાની મનહરભા નિરખવા લાગી. આ વખતે તે સ્થળે પાંડ બેઠા હતા, દ્વિપદીના હાથમાં કમળનું પુષ્પ જે છે તે તેના મુખની સાથે સરખાવવાની ભાવના ભાવતા હતા. કમળમાં પરાગ છે અને
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy