SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૭૦ ) જૈન મહાભારત. ફરવા નીકળ્યા, ત્યારે મારા પૂજ્ય યુધિષ્ઠિરે મને પહેરાવી છે. કારણ નાનાભાઇ ઉપર મોટાભાઈના અતિ પ્રેમ હાય છે, પાંડુ અને વિશાલાક્ષને જેવા પરસ્પર સ્નેહ હતા, તેવા સ્નેહું આ પણ તેમના પુત્રામાં પણ થવા જોઈએ.” આ પ્રમાણે કહી અર્જુન ચંદ્રશેખરની સાથે રથમાં બેઠા અને અશ્વોને પવનવેગે ચલાવવા લાગ્યા. આકાશમાર્ગે દર જતાં વૈતાઢ્ય પર્યંત દેખાયા એટલે ચંદ્રશેખરે અનને કહ્યુ, “ પરોપકારી વીર, ભારતભૂમિરૂપી સ્ત્રીના સીમતરૂપે આ વૈતાઢય પ`ત દેખાય છે. એ પર્યંતના વિસ્તાર પચાશ ચેાજન અને ઉંચાઈ પચીશ ચેાજન છે. એ પર્વત ઉપર વિદ્યાધરીઓના વૃંત્ર્ય તમારા યશનું ગાયન કરે છે. આ રૂપાને ગિરિ, તમારા યશના જેવા કેવા ઉજવળ શોભે છે? જ્યારે આપણે આ પવ ત ઉપર દશ ચેોજન સુધી જઇશુ' એટલે પ°તની પાસે દશ ચેાજન વિસ્તારવાળી એ વનપક્તિઓ આવશે. આપણે વેગથી તેમાંની દક્ષિણ દિશા ભણી આવ્યા છીએ. હવે ક્ષણમાં રથનુપૂર નગર આવશે, ત્યાં ઇંદ્રરાજા તમને મળવાને ઉત્સુક થઈ બેઠા હશે. આ ડાખા હાથ ભણીના જે રસ્તા જાય છે, તે રસ્તા તલતાલવ શત્રુએ જે નગરમાં રહે છે, તે ભણી જાય છે. ” મન ઉત્સાહથી ખેલી ઉછ્યો. “ ચંદ્રશેખર, શત્રુઓના મુખ જોયા વગર ઇંદ્ર રાજાનું મુખ જોવાની મારી ઇચ્છા નથી. માટે તે દિશ તરફ રથ હાંક. હું જાણું કે, મારા શત્રુઓ કેટલા છે ?”
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy