SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ અભયદાન અને જીવિતદાન. (૪૧૩) માન માંહેલી એક સ્ત્રી ત્યાં આવીને ઉભી રહી. તે દંપતીને શોકાતુર , તે સ્તબ્ધ બની ગઈ. વાંચનાર, આ પ્રસંગને સ્પષ્ટ રીતે જાણવાની તારી ઈચ્છા. થઈ હશે, અને તેને માટે તારા હૃદયમાં તર્ક-વિતર્ક થયા. કરતા હશે. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે, તે સ્પષ્ટ રીતે ધ્યાન દઈને સાંભળજે. પ્રતાપી પાંડેને આપણે એક ચકાનગરીમાં મુકેલા છે. તે પછી તેમની શી ગતિ થઈ? તે જાણુવાથી ઉપરને સંબંધ સ્પષ્ટ રીતે સમજાશે. હેડંબાના ગયા પછી પાંડવોએ બ્રાહ્મણને વેશ ધારણ. કરી એચકાનગરીમાં પ્રવેશ કર્યો હતે. તેનગરીના રાજમા માં જતાં તેમને દેવશર્મા નામે એક બ્રાહ્મણ મળે હતે. તે બ્રાહ્મણ ઘણો પવિત્ર અને માયાળુ હતું. તે પિતાની શક્તિ પ્રમાણે હમેશાં કઈ અતિથિ આવે, તેને સત્કાર કરતે. હતા. પાંડના કુટુંબને જોતાં જ તે ઘણે પ્રસન્ન થયા હતા, અને તેમને ઘણે આગ્રહ કરી તે પોતાને ઘેર લઈ ગયે હતો. શાંત સ્વરૂપ યુધિષ્ઠિરને તેણે વિનંતિ કરી કે “મહાનુભાવ, આ મારૂં ઘર, આ મારી સ્ત્રી અને આ મારા પુત્ર અને પુત્રી તમારાજ છે. આ ઘરમાં રહી તમે મારા ઘરને અને કુટુંબને પવિત્ર કરો.” દેવશર્માની આવી મધુરવાણી સાંભળી યુધિષ્ટિર પિતાના કુટુંબ સાથે તેને ઘેર રહ્યા હતા. પાંડે. ઉપરથી બ્રાહ્મણને આચાર પાળતા હતા, પણ અંદર તેઓ પરમ આહંત હતા. કુંતી અને દ્રૌપદીએ તેના ઘરમાં રહી તે
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy