SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮૬) જૈન મહાભારત. પ્રજા વિવિધ પ્રકારના નજરાણું લઈ તેમની સામે આવી. યુધિષ્ઠિરે પોતાના કાફલા સાથે વારણાવત નામના હસ્તિનાપુરના પરામાં પ્રવેશ કર્યો. ત્યાં એક સુંદર મહેલ તેમના જેવામાં આવ્યો. પુરહિત પુરેચને તેમાં યુધિષ્ઠિરને ઉતારે કરાવ્યું અને તે મહેલની સુંદર રચના તેમને બતાવી. દુબુદ્ધિ દુર્યોધન પણ ત્યાં સામે આવ્યું અને તેણે ઉ. ત્તમ પ્રકારે યુધિષ્ઠિરના આતિથ્યને માટે ગોઠવણ કરી. યુધિષ્ટિર વગેરે સર્વ મી જમાનેને જે જે વસ્તુની જરૂર પડે તે તે વસ્તુ દુર્યોધન તેમને પહોંચાડવા લાગ્યા. યુધિષ્ઠિરને અને બીજા રાજાઓને દુર્યોધને સેવા બરદાસથી એવા પ્રસન્ન કર્યા કે, તેઓ પિતાપિતાના હવૈભવને પણ ભુલી ગયા. યુધિષ્ટિર પિતાના બંધુઓ અને કુંતી માતા સાથે તે સ્થળે શાંત મને વાસ કરી રહ્યો. પિતાના સંબંધી પાંડનું આવું સુખ જોઈ કૃષ્ણ પિતાની રાજધાની દ્વારિકામાં જવાને તૈયાર થયા. તે સમયે પિતાની માતાને મળવા ઉત્કંઠિત થયેલી સુભદ્રાને જેઈ યુધિ. ષ્ઠિરે કૃષ્ણની સાથે તેને દ્વારકામાં મોકલી અને બીજા જે યુધિષ્ઠિરને મળવા માટે ત્યાં આવ્યા હતા, તેમને યુધિષ્ઠિરે પોતપોતાના સ્થાનમાં વિદાય કર્યા હતા. એક સમયે સત્યવતી યુધિષ્ઠિર પિતાના કુટુંબથી પ્રરિવૃત થઈ મહેલના વિશાળ ભાગમાં બેઠે હતો. દુર્યોધનની આવી ઉત્તમ વૃત્તિની પ્રશંસા થતી હતી. વનવાસની વિપત્તિ ન થતાં આવા આવા રાજસુખની પ્રાપ્તિથી તેઓ
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy