SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ નળાખ્યાન. ( ૩૨૧ ) આવી હાથ, પગ તથા સુખ ધેાઇ તેમણે તે સિરતાના શીત છળ જળનું પાન કર્યું. પછી કેાઇ લતાગૃહમાં પ્રવેશ કરી એક સુકામળ શિલા ઉપર પત્રાની શય્યા કરી તેમાં અને દંપતીએ શયન કરવાના વિચાર કર્યો. અને પ્રેમી પ્રિયા અને પ્રિય ૫રસ્પર ભુજલતાએ રિબદ્ધ કરીને સુઇ ગયાં. તે વખતે તેમણે પંચપરમેષ્ટીનુ સ્મરણ કર્યું. એક વસ્તુપર સૂતેલાં તે પ્રેમી ખેડામાંથી દમયંતી નિદ્રાધીન થઇ ગઇ. નળ તે જાગ્રત હતા. પૂ કર્યાના યાગથી નળે સુતા સુતા હૃદયમાં વિચાર્યું —“અરે આ ! મારી પ્રાણ પ્રિયા, કે જેણીએ કદિ પણ આવું કષ્ટ વેઠયુ' નથી, તે મારી સાથે કેમ નભી શકશે ? વિષમ ભૂમિમાં તેણી શી રીતે ચાલી શકશે ? વળી મારે લાંખી મુસાફરી કરવી છે. ઇચ્છાનુસાર મુસાફરી કરનારા પુરૂષાને જો સાથે હાય તા તે તેને વિઘ્નરૂપ થાય છે, તેથી આ પ્રાણપ્રિયાને સૂતી મુકી હું એકલા ચાલ્યા જાઉં. તે પ્રાતઃકાળે જાત થઈ તેના પિયરમાં અથવા ખીજે કાઈ સ્થળે ચાલી જશે.” આવું વિચારી નળ તેણીના ભુજપાશમાંથી પેાતાના ભુજને હળવે હળવે મુક્ત કરવા લાગ્યા. તે વખતે નિદ્રાધીન થયેલી નારીને જોઇ નળ મંદ સ્વરે ખેલ્યુંા—“ મુખ્ય, તું તારા લિગનમાંથી આ નળને છોડી દે. જેને પોતાના પતિ ઉપર પૂર્ણ વિશ્વાસ છે તેથી જે નિશ્ચિત થઈને નિદ્રા કરે છે, જે પ્રેમરૂપી અમૃતને વધારનારી છે ૨૧
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy