SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૧૦) જૈન મહાભારત. સ્થળે લાવેલ છે. એમ કહી તેણે સર્વ વૃત્તાંત વિસ્તારથી કહી સંભળાવ્યું. | વાંચનાર, અધીરા થશો નહીં. તમારી સન્મુખ સર્વ પ્રકારનું સ્પષ્ટીકરણ કરીએ છીએ. ગયા પ્રકરણમાં તમે વાંચ્યું છે કે, દુષ્ટ દુર્યોધને પિતાના પિતા ધૃતરાષ્ટ્ર આગળ પાંડવિની સભામાં જે પિતાનું અપમાન થયું અને તેથી પિતાને જે પાંડ તરફ દ્વેષબુદ્ધિ થઈ, તે બધી વાત નિવેદન કરી છે. પુત્રમોહને લઈને ધૃતરાષ્ટ્રના વિચારમાં જે વિકૃતિ થઈ છે, તે પણ તમારા ધ્યાનમાં છે. ધૃતરાષ્ટ્રે પ્રથમ તે દુર્યોધનને પાંડ તરફ દ્વેષબુદ્ધિ ન કરવાને કહ્યું હતું પણ પાછળથી જ્યારે દુર્યોધને પોતાના મરણ થવાના સુધીના આગ્રહી વિચારે જણાવ્યા, એટલે ધૃતરાષ્ટ્ર ગંભીર વિચારમાં પડ્યો હતે અને તેથી તેણે પુત્રના વિચારને અનુમોદના આપ્યું હતું. દુર્યોધનના મામા શકુનિએ બતાવેલી વ્રત રમવાની યુક્તિ જે કે તેને પસંદ પડી ન હતી, તથાપી પુત્રમમત્વને આધીન થયેલ ધૃતરાષ્ટ્ર તેમાં તટસ્થ રહ્યો હતે. પછી ધૃતરાષ્ટ્ર ઉત્તમ કારીગરોને બોલાવી એક રમણીય સભાસ્થાન રહ્યું હતું. સભાસ્થાન તૈયાર થયા પછી તેણે સલાહ લેવાને પોતાના ભાઈ વિદુરને બોલાવ્યો હતે. જે મોઢ પુરૂષ સભાસ્થાનમાં આવી બેઠે હતું, તે હસ્તિનાપુરથી આવેલે વિદુર હતું. જે વૃદ્ધ પુરૂષ આવી વિદુરને ભેટી પડ્યો, તે ધૃતરાષ્ટ્ર હતો. બંને ભાઈઓ મળ્યા પછી ધૃતરાણે દુર્યોધનના અપમાનને અને પાંડના શ્રેષને સર્વ
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy