SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ મામો અને ભાણેજ. (૨૯૧) ઉત્પન્ન થવાથી, તેઓ મારા મૃયુનું મૂળ કારણ થઈ પડ્યું! છે. તેઓની સમૃદ્ધિ અને ઉન્નતિ એટલી બધી વૃદ્ધિ પામતી જાય છે કે જેથી મારા હૃદયમાં ઈર્ષારૂપ અગ્નિજવાળા પણ વધતી જાય છે. તેમના મહેલમાં દીપકની જેમ મણિએની પંક્તિઓ પ્રકાશ કરી રહી છે. તેમની રાજસભાની આગળ ઈની સુધર્મા સભા લજા પામી જાય છે. તેમના નિધિ વ્યથી પરિપૂર્ણ છે. જેમ સૂર્ય સર્વ રસાયણને આકર્ષણ કરી તેની જાળવૃષ્ટિથી આખા વિશ્વને પ્રસન્ન કરે છે, તેમ યુધિષ્ઠિર પૃથ્વીની સર્વ સંપત્તિઓને એકઠી કરી સર્વ પ્રજાને પ્રસન્ન કરી રહ્યો છે. વીર યુધિષ્ઠિરે દિવિજય કરી મોટી કીર્તિ મેળવી છે. તેણે પિતાના ચારે બંધુઓને ચારે દિશાઓમાં મોકલી વીરકીર્તિ સંપાદન કરી છે. કુંતીએ જેમને પ્રસ્થાનમંગળ કરેલું છે એવા તે ચારે ભાઈઓએ પોતાના જયેષ્ટ બંધુ યુધિષ્ઠિરને દિગવિજયનું ભારે માન - પાવ્યું છે. એ માનથી પકુમાર યુધિષ્ઠિર ગર્વમાં આવી ગયો છે. ભીમસેને પિતાના પરાક્રમથી પૂર્વ દિશા જીતી છે. તે દેશમાં આવેલા કામરૂ દેશની રાજધલક્ષમી તેણે ક્ષણવારમાં વાધીન કરી લીધી છે. તે શિવાય મહાવીર ભીમે અંગ, બંગ કલિંગ અને કામરૂ દેશમાં પિતાના બંધુ યુધિષ્ઠિરની સત્તા બે સાડી છે. અને ગંગાસાગરના સંગમ ઉપર યશસ્તંભ આરોપી દીધા છે. વીર અને દક્ષિણમાં દ્રવિડ, મહારાષ્ટ્ર, કર્ણાટક, લાટ, ભેટ અને તેલંગ શિવાય સર્વ દેશપર જીત મેળવી ત્યાંના રાજાઓને વશ કરી લઈ તે મહાવીરે દક્ષિણ સમુદ્રના
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy