SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૭૦) જેને મહાભારત. ને કેશરને કહ્યું, “કેશર, તું એ દુઃખી રાજાની પાસે જા. અને તેને ધીરજ આપી કહે કે, “રાજા, કેઈપ્રકારે ખેદ કરશે નહી. પાંડુકુમાર અને તમારી સ્ત્રીને લાવી આપશે. અને તમારા કટ્ટા શત્રુને શિક્ષા કરશે.” અર્જુનના કહેવાથી કેશર હિમાંગદ રાજા પાસે આવ્યા અને તેણે ધીરજ આપી. અજું ને કહ્યું હતું તે બધું કહી સંભળાવ્યું. રાજા હેમાંગદને શાંત કરી કેશર અજુન પાસે આવ્યા પછી જે તરફ પ્રભાવતીનું હરણ થયું હતું, તે તરફ વીર અર્જુન ધનુષ્યધારી થઈ વિવાધરી વિદ્યાના પ્રભાવથી આકાશમાર્ગે ચાલ્યું. અને અર્જુનના પરાક્રમને જાણનાર રાજા હેમાંગદ પિતાના કાર્યની સિદ્ધિને વિશ્વાસ રાખી ત્યાંજ ઉભે રહ્યો. એટલામાં એક ઘેડેશ્વારે આવી રાજા હેમાંગદને કહ્યું, મહારાજા આ તરફ ચાલે ત્યાં રહેલા એક વ્યષિ આપને આશીર્વાદ આપે છે. આપનાં રાણી પ્રભાવતી ત્યાં પુષ્પ વિણે છે.” આ ખબર સાંભળતાં રાજા ઘણો ખુશી થયા. અને તે ઋષિના આશ્રમમાં ગયો. રાજા પિતાની પ્રિયાને જોઈ હૃદયમાં આનંદિત થઈ તેણીને મળવા જતું હતું, તેવામાં કઈ સર્ષે આવી રાણીને દંશ માર્યો. રાણું પ્રભાવતી “હે, પ્રાણનાથ, હે આર્યપુત્ર” એમ બુમ પાડતી વિષના વેગથી મૂછિત થઈ ગઈ અને પ્રિયાના મેહથી રાજા હેમાંગદ પણ મૂછિત થઈ ગયા. બંને દંપતી - ભાનરહિત થઈ ભૂમિ પર પડી ગયાં. તે દેખાવ જોઈ બીજા લેકે પણ અતિશય ખેદ પામી ગયા. દયાળુ લેકએ શીપચાર
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy