SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૨) જૈન મહાભારત. છે? જે હોય તે કહે. હું તેને શિક્ષા કરવાને સમર્થ . જે માણસે તારા હૃદયને પરિતમ કરેલુ છે, તે માણુસ ઉપર યમરાજ કોપાયમાન થઇ ચુકયા છે. તેને દશ કરવાને તક્ષક નાગ તત્પર થયા છે અને તેનીપર વજ્રા પડવાના સમય આવ્યે છે, એ નિ:સંશય વાત છે. ,, દ્રોણાચાર્યનાં આવાં વચન સાંભળી અર્જુન મંદ સ્વરે એલ્યા–“ ગુરૂ મહારાજ! આપના શિવાય બીજો કાણુ મારા તિરસ્કાર કરવાને સમર્થ છે ! કેસરીના તિરસ્કાર કેસરી શિવાય મને કોણ કરી શકે ? આપની કૃપાથી મારામાં પણ એવું પરાક્રમ પ્રગટ થયું છે કે, કાઇ પણ મારા પરાભવ કરવાને સમર્થ નથી; પરંતુ એક વાતથી મને ખેદ થયા છે. એક વખતે આપ સ્વમુખથી એવું વચન ખેલ્યા હતા કે, • આ જગમાં તું અદ્વિતીય ધનુર થઇશ. ' એ તમારૂં વાકય મે' પ્રત્યક્ષ મિથ્યા થયેલુ જોયુ, એથી મને અત્યંત ખેદ થાય છે. ” 9 “ એ શી રીતે મને તે વાત સવિસ્તર કહી સંભળાવ દ્રોણાચાર્યે ઇંતેજારીથી પુછ્યુ, “ મહારાજ ! આજે હું ધનુષ્યમાણુ લઇને વનમાં ફરવા ગયા હતા, ત્યાં જંગલમાં રહેનાર કોઇ એક આપના શિષ્ય મારા જોવામાં આવ્યેા. તે ધનુર્વિદ્યામાં એવા તે નિપુણ છે કે હું તેની આગળ કંઈપણ હિંસાખમાં નથી. એના પરાક્રમની આગળ મારૂં પરાક્રમ તુચ્છ છે. ભદ્ર ! તારી વાત સાંભળી મને આશ્ચર્ય થાય છે. "7
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy