SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ કૃષ્ણ અને કંસ. ( ૧૨૭) અને સ્ત્રી પુરૂષ પિતાના હૃદયને પ્રશ્ન કરતા હતા. આ વખતે એક પુરૂષે “ દ્વાર ઉઘાડે ” એ ધ્વનિ કર્યો. તે ધ્વનિ સાંભળતાંજ સ્ત્રી પુરૂષ ચમકી ગયાં. આવા રાત્રિને સમયે કોણ આવ્યું હશે?” એમ તેઓ વિચારમાં પડ્યા. પુરૂષે ઇતેજારીથી બેઠા થઈ પિતાના ગૃહનું દ્વાર ઉઘાડયું, તેવામાં જેના બંને હાથમાં એક નાનું તેજસ્વી બાળક છે એવા એક પુરૂષને તેમણે જોયે. તેને જોતાં જ તે પુરૂષે તેને ઓળખી લીધો. તેણે આનંદના આવેશમાં કહ્યું, “મિત્ર! તમે અત્યારે ક્યાંથી? આ બાળક કોનું છે અને તેને અહિં કેમ લાવ્યા છે?” તેના પ્રશ્ન ઉપરથી તે પુરૂષે પિતાને સર્વ વૃત્તાંત તેને કહી સંભળા. પ્રિય વાચકવૃંદ! આ પ્રસંગ તમારા સમજવામાં આબે નહીં હોય. તેથી તેનું સ્પષ્ટીકરણ કરવાની જરૂર છે. યમુના નદીને કાંઠે આવેલું ગામ તે ગોકુળ છે. તે મથુરાનગરીથી ત્રણકેશ ઉપર આવેલું છે. જે સ્ત્રી પુરૂષ હતા, તે નંદ તથા તેની સ્ત્રી યશોદા છે. નંદ ગોકુળને રાજા છે અને યશોદા તેની રાણું છે. તે નંદ વસુદેવને પરમ મિત્ર છે. આ વબતે જે પુરૂષ હાથમાં બાળક લઈને તેની પાસે આવ્યું છે, તે વસુદેવ પિતાની સ્ત્રી દેવકીને સાતમે ગર્ભ જે કૃષ્ણ તેને લઈ નંદને ઘેર આવ્યું છે. જ્યારે કંસે દેવકીના છ ગર્ભ મારી નાંખ્યા તેથી આ સાતમા ગર્ભનું રક્ષણ કરવા વસુદેવને અર્ધરાત્રે કુળમાં આવવું પડયું છે. આ સાતમે ગર્ભ કૃત
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy