SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૧૯ માટે ખરેખર ! અમારી બુદ્ધિની પરીક્ષા કરવાને માટે જ આ પ્રમાણે આદેશ કર્યો હશે” એમ વિચારી કુકડે લઈને તે પાછો આવ્યો અને કુકડાને ન મારવાને હેતુ ગુરૂને નિવેદન કર્યો, એટલે ગુરૂએ વિચાર્યું કે –“આ નિશ્ચય મોક્ષે જશે.” એમ ચિંતવી નેહથી બહુ સારૂં” એમ કહ્યું. પછી “તું મને ઈષ્ટ છે, તું સુકૃતિ અને ધન્ય છે. એમ પ્રશંસા કરી ઉપાધ્યાય તેનું ગૌરવ કરવા લાગ્યા. એવામાં વસુ અને પર્વત પાછા આવીને આ પ્રમાણે બાલ્યા કે જ્યાં કઈ પણ ન જોઈ શકે ત્યાં જઈને અમે કુકડાને મારી આવ્યા ગુરૂએ કહ્યું કે -‘તમે અને વિદ્યાધરો વિગેરે જેવા હતા, છતાં કેઈ જેતું નથી એમ ધારીને અરે ! પાપિચ્છે ! તમે, કુકડાને કેમ માર્યો? તમને ધિકકાર થાઓ” પછી ગુરૂને વિચાર થયો કે “મુનિએએ જે કહ્યું છે તે સત્ય છે, જરૂર આ બંને નરકગામી ; તે હવે એમને ભણાવવાથી શું? એને ભણાવવા તે અંધને અરિસો દેખાડવો, બહેરા આગળ શંખ વગાડ, વનમાં વિલાપ કરવા. પથ્થર પર કમળ રોપવા અને ક્ષાર ભૂમિમાં વરસવું તેના જેવું છે. કહ્યું છે કે જે ગુણ વિદ્યમાન છતાં પણ અધોગતિ થાય એવા ગુણોને આગ લાગે, તેવું કૃત પાતાળમાં ચાલ્યું જાઓ અને તેવું ચાતુર્ય (ચતુરાઈ) વિલય પામે કેમકે તે તે ઉલટું હાનિકારક છે. તેજ જળ કે જે તરસને છેદે, તેજ અન કે જે ભૂખને દૂર કરે, તેજ બધુ કે જે આ પણ પીડાને ધારણ કરે–આપણને સહાય કરે અને તેજ પુત્ર કે જેનાથી પિતાને નિવૃત્તિ મળે. તે જ શ્રત શીખ્યું અને સાંભળ્યું પ્રમાણ છે કે જેથી તમા નરકમાં ન પડે.
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy