SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ સંસાર બજા૨ ૧૫૫ થીયાના બનાવનારાના જેવા જ એના નામે છે અને એવા જ ગુણે પગથીયાના છે. એ પગથીયામાંથી કૃષ્ણા, નીલા અને કાપતાએ બનાવેલા પગથીયા ઉપર વાનરબચું રહ્યું હોય તે તે કૂદાકૂદા કરે અને બારી દ્વારા મનથી આંબા માનેલા વિષવૃક્ષે ભણું દોટ મૂકે. પરિણામે એ વૃક્ષે નીચેની કમપરમાણુ રજથી મલીન બને, સ્નેહ જલથી ચૂંટી જાય. ઘા થાય અને ઉંદરડા, કેલ, બીલડાના ત્રાસે વધી જાય. આ રીતે ફરી દુખની પરંપરા ઉભી થાય. સદા સંતપ્ત સ્થિતિ જ રહ્યા કરે. ભદ્ર! તારે વાનરબચ્ચાને એ સ્ત્રીઓના બનાવેલા પગથીયાથી નીચે ઉતારવું અને તેજે, પડ્યા અને શુકલા લેગ્યાએ બનાવેલા પગથીયા ઉપર ચડાવી દેવું. આ પગથીયા ઉપર ચડતાં વાનર બચ્ચાના કલેશે ઘટશે. ઉંદર, કેલ, બીલાડીના ઉપદ્રવ ઓછા થઈ જશે. વિષવૃક્ષોના ફળ ખાવાની આકાંક્ષા ઓસરતી જશે. નેહ સુકાવા લાગશે, તેથી શરીર ઉપરની કર્મજ ખરવા લાગશે અને ઘા રૂઝાવા લાગશે. તેજસ્વી અને સ્વરૂપવાનું બની જશે. ચેથી તેજે લેશ્યા નામની સ્ત્રીએ બનાવેલા પગથીયા ઉપર વાનર બચ્ચે ચડશે તે ઉંદર, કેલ વિગેરેના ઉપદ્રવ નષ્ટ થશે. શરીર ઉપરની શ્યામતા જતી રહેશે, વિષયરૂપ આંબા ખાવાની ઈચ્છા નહિ થાય, ઘા બધા રૂઝાવા લાગશે, કર્મ રજ ખરવા લાગશે, શરીરમાં વર્ણ અને કાંતિને વધારો થશે અને સુખને જ અનુભવ થયા કરશે.
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy