SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ ઉપમિતિ કથા સા દ્વાર ચક્રાવામાં ફસાએલું “ચિત્ત” વાનર બચ્ચે મુક્ત કઈ રીતે બને ? ગુરૂદેવે એ વાનરના રક્ષણને ઉપાય સરસ બતાવ્યું. સ્વવર્ય નામના હાથમાં અપ્રમાદ દંડ લઈ એ બચ્ચાને બહાર જતાં જ અટકાવી દે. હું એ ઉપાયને અમલમાં મુકી રહ્યો છું. ગુરૂ આજ્ઞા અનુસાર વર્તી રહ્યો છું. અકલંક- મહાત્મન્ ! આપે ગુરૂદેવના વચનને સુંદર ભાવ પ્રાપ્ત કર્યો. આપની સમજુતી ઉપર હું વારી જાઉં છું. વળી આપે સુદઢ અને નિશ્ચયાત્મક રીતે એ આચરણ પણ આરંભી દીધું છે. આપનું આચરણ પણ ઘણું સુગ્ય જણાય છે. મને આપની વાત સાંભળતાં ઘણે આનંદ થયો છે. આપે મને એક ચક્રાવાની વાત કરી એમ મને બીજા એક ચક્રાવાનો ખ્યાલ આવે છે. એ પણ આપના ચક્રાવાથી મળતું આવતું હશે. આપની અનુજ્ઞા હેાય તે હું એ સંભળાવું. મુનિએ અનુજ્ઞા આપતાં એણે વર્ણન ચાલું કર્યું. બીજું ચક : ચિત્ત” બે પ્રકારનું કહેવામાં આવ્યું છે. એક દ્રવ્ય ચિત્ત અને બીજું ભાવ ચિત્ત. એમાનું પહેલું ચિત્ત મન: પર્યાપ્તિ પૂર્ણ કરેલા આત્માએ ગ્રહણ કરેલા પુદ્ગલ સમૂહ રૂપ છે. ત્યારે એ ભાવચિત્ત અથવા ભાવમન કહેવાય છે. ભાવમન કામણ શરીરમાં રહે છે. માટે એને જુદું કહેવાય છે. આ રીતે ભાવચિત્ત એ જીવ જ છે. જીવ ભાવચિત થાય પણ ખરું અને ન પણ થાય. કારણ કે કેવલજ્ઞાની ભગ
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy