SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ નરસુંદરી ૩૯. આવી ગયું અને જોરથી બોલી ઉઠ્યા કે કુમારને તે શૈલરાજ અને મૃષાવાદની જ કળાઓને અભ્યાસ છે. એમાં જ નિષ્ણાત છે. બીજું કાંઈ એ શીખ્યો નથી. નરવાહન–આ વળી કઈ કળા છે? કળાચાર્ય–અવિનય કરે, અસત્ય બોલવું, બેટા આળ આપવા, અભિમાન ધરવું એ જ એની ચતુરાઈ છે. એમાં જ પાવર અને અગ્રેસર છે. એ સિવાયની કળાઓના નામ પણ એ જાણ નહિ હોય પછી વિવેચન તે આ કયાંથી કરવાનું હતું? નરવાહન–આમ કેમ બન્યું? - કળાચાર્ય–અમારે આપને આ વિષયમાં શું કહેવું ? કુમારના કુવર્તનની કથા કરી શકાય તેવી નથી. આપને મનઃ સંતાપ થાય એટલા ખાતર અમે કઈ કહ્યું નથી. કુમારની રહેણી કહેણું કેહાએલા કુતરા જેવી છે. એની દુર્દશાને ચિતાર આપતાં અમારી વાણું બુઠ્ઠી થઈ જાય છે. નરવાહન–જે બન્યું હોય તે અમને કહી સંભળાવે. હે આર્ય ! એ કહેવામાં મારે ભય ન રાખશે. હું આપને કહું છું એટલે આપે સંશય રાખવાને નથી. યથાર્થ જણાવે. કળાચર્ય–રાજન્ ! કુમાર શાળામાં દાખલ થયે એ અગાઉથી એનામાં અભિમાન તે હતું જ. તે દિવસે દિવસે શ્વેત કઢની જેમ વ્યાપક બનતું ગયું. વારંવાર મારું અપમાન કરતે. તિરસ્કાર અને ઉદ્ધતાઈ એ એને આનંદ હતે. અપશબ્દ બોલવા એ રમુજ હતી. અમે એને ઉદ્ધતાઈ ભર્યા
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy