________________
આ કાર્ય કોને સોંપવું આ એક પ્રશ્ન ઊભો થયે. વિચારણા કરતાં એમની અમીભરી ભાવદષ્ટિ મારા ઉપર સ્થિર થઈ. તાતપાદ સમા પૂજ્ય પ્રવર પંન્યાસજી મહારાજે મને એ કાર્ય કરવા જણાવ્યું. વાત સાંભળતા જ હું વિચારમાં ગૂંચાઈ પડે. મને એવી કલ્પના ન હતી કે આ ગ્રંથ વંચાવતા લેખન કાર્યની વાત રજુ થશે.
નમ્રતા પૂર્વક મેં જણાવ્યું, સાહેબજી! મેં હજુ લેખન વિષયક અભ્યાસ નથી કર્યો. એ માટે સ્વલ્પ પ્રયત્ન નથી કર્યો. વાંચવું વંચાવવું અને લખવું એ ત્રણે ભિન્ન શકિતઓ છે. લખવાનો અભ્યાસ ન હોવાથી લેખનકળાના મંગળપ્રવેશમાં જ આવા ગૌરવભર્યું ગ્રંથ ઉપર લખવું જવાબદારી ભર્યું ગણાય. ભાષાદેષ કરતા શાસ્ત્રાના વિરૂદ્ધ લખાણને મહાભય આવી પડવાનો સંભવ રહે.
- નમ્રતાની એ જીવંતમૂર્તિએ કહ્યું, પુણ્યવાન! તમે ગભરાઓ નહિ. સુપ્રયત્ન કરે. દેવગુરૂની પુણ્ય કૃપાથી સૌ સારાવાના થશે.
આજના વિષભર્યા વિલાસી યુગમાં પણ પૂર્વ મહર્ષિઓના જીવનની વાનગી સભા એ મહાત્મા પુરૂષની આભામાં હું અંજાઈ ગયો. મેં કહ્યું, “આપશ્રીની જેવી આશા.” એ મહામના પુરૂષની આજ્ઞા પાછી ઠેલવા હું નિર્બળ બની ગયે. | વિજયાદશમીના મંગળદિને એ મંગળમૂર્તિના પવિત્રહસ્તે વાસક્ષેપને સ્વીકાર કરી આ કાર્યને પ્રારંભ કર્યો. એમના આશીર્વાદ અને દરેક પ્રકારના સહયેગથી કાયમૂર્તિમંત થતું ચાલ્યું.
લેખનના અભ્યાસનો અભાવ એટલે પ્રથમ પ્રસ્તાવનું અવતરણ જેવું જોઈએ એવું ન બન્યું. એ રહેવા દઈ ફરી લખાણુ કરવું ચાલુ કર્યું. કાંઈક ઠીકઠાક થતું લાગ્યું. પુનરપિનો સિદ્ધાંત અપનાવી