SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ મેં કી સતી પ્રવચન પશુ રાગ ૨૫ એમને અસત્ય બોલવાનું કેઈ કારણ નથી. જ્યારે ભગવાન મહાવીર મહારાજા દીક્ષા લે છે ત્યારે તેઓ પોતાના સર્વસ્વને અને જગતને તુણવત્ ગણુને સાપ કાંચળીને છેડે તેમ છેડીને જંગલમાં ચાલ્યા જાય છે. જ્યાં ખાવાનું ઠેકાણું નથી, રહેવાનું પણ ઠેકાણું નથી, એવા જંગલમાં ભગવાન કેમ જાય છે? તે કહેવું જ પડશે કેગતના ઉપકારને માટે જાય છે. એમને અનેક જાતના પરીષહ થયા. ત્રાસ-ભય અને પરિતાપ ઉપજાવે એવા અનેક ઉપસર્ગો થયા. છતાં એમણે કેઈ ઉપર વેષ નથી કર્યો. એમની પૂજા પણ ઘણું થઈ ભક્તિ પણ ઘણાએ કરી. પણ એમને એના પર “રાગ પણ નથી થ. रागोऽङ्गनासंगमनानुमेयो, द्वेषो विषद्दारणहेतिगम्यः । मोहः कुवृत्तागमदोषसाध्यो, नो यस्य, देवः स स चैवमर्हन् । સ્ત્રીને સંગમ હોય તે સમજવું કે આમાં “રાગ” છે. હાથમાં હથિયાર અને આયુધો હોય, તે સમજવું કે હજી અહીં છેષ છે, અને હાથમાં જપમાળા હેય, તે સમજવું કે હજી “અજ્ઞાન” પડયું છે. ભગવંત મહારાજામાં આમાંનું કાંઈ જ નથી. એક બાજુ ચંડકૌશિવે સર્પ ભગવાનને ડસવા માટે ચરણમાં આવે છે. બીજી બાજુ ઈન્દ્ર મહારાજા ભગવાનની પૂજા ભક્તિ માટે આવે છે. પણ ભગવાન તે બંને પ્રત્યે નિર્વિરોજમના- સમાન મનવાળા છે. “આ મારે દ્વેષી છે, મને કરડવા આવ્યું છે...? એ ઠેષ એમના હૃદયમાં
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy