SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ થીઋષભનાથ ચરિત્ર ૪૬૭ વાણારસીનગરીમાં અગ્નિસિંહ રાજા અને શેષવતીદેવીનો પુત્ર છપન હજાર વર્ષના આયુષ્યવાળો, છગ્લીશ ધનુષ્યના શરીરવાળો, અરજિન અને મલ્લિજિનના આંતરામાં સાતમે દત્ત નામે વાસુદેવ થશે. આયુષ્ય પૂર્ણ કરી તે પાંચમી નરકમાં જશે. ૭ રાજગૃહી નગરમાં (અધ્યાનગરીમાં) દશરથરાજા અને સુમિત્રાદેવીને પુત્ર બાર હજાર વર્ષના આયુષ્યવાળો, સેળ ધનુષ્ય પ્રમાણ દેહવાળે, મુનિસુવતજિન અને નમિજિનના આંતરામાં આઠમો નારાયણ (લક્ષમણ) નામે વાસુદેવ થશે. તે આયુષ્ય પૂર્ણ કરીને ચોથી નરકમૃથ્વીમાં જશે. ૮ મથુરાનગરીમાં વસુદેવ રાજા અને દેવકીને પુત્ર એક હજાર વર્ષના આયુષ્યવાળો, દશ ધનુષ્યના શરીરવાળે, નેમિજિનેશ્વરની ઉપાસના કરનાર, નવમે કૃષ્ણ નામે. વાસુદેવ થશે. તે ત્રીજી નરકપૃથ્વીમાં જશે. ૯ વાસુદેવ અને બળદેવના પિતા એક જ હોય છે, દેહની ઊંચાઈ પણ સમાન જ હોય છે, બીજે જે વિશેષ છે તે આ છે – તેમાં પ્રથમ અચલ નામે બળદેવ તે ભદ્રાદેવીને પુત્ર, પંચ્યાસી લાખ વર્ષના આયુષ્યવાળો થશે. ૧ - બીજે વિજય નામે બળદેવ તે સુભદ્રાદેવીને પુત્ર, પંચોતેર લાખ વર્ષના આયુષ્યવાળો થશે. ૨
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy