SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભનાથ ચરિત્ર ૩૪૫ તરફ ગર્વિષ્ઠજનેના અભિમાનનો નાશ કરે એ રાજધર્મ છે, આ તરફ ભાઈને વિષે ઉત્તમ બંધુપણું કરવું જોઈએ, અરે રે! હું સંકટમાં પડ્યો છું. મંત્રી પણ આ પ્રમાણે કહે છે – હે મહારાજ ! દેવનું જે સંકટ છે તે આપની મોટાઈથી તે જ નાને ભાઈ દૂર કરશે. જેથી મોટાએ આજ્ઞા આપવી, અને નાનાએ તે કરવી” એ આચાર સાધારણ ગૃહસ્થામાં પણ રૂઢ છે. દેવ પણ લેકરૂઢ માર્ગ વડે સંદેશ લઈ જનાર દૂતને મોકલીને નાના ભાઈને આજ્ઞા કરે. હે દેવ ! પિતાને વીર માનનાર તમારે નાનો ભાઈ સિંહ જેમ પલાણને સહન ન કરે તેમ સર્વ જગતને માનનીય તમારી આજ્ઞાને જે સહન ન કરે, તે ઇંદ્રની જેમ પ્રચંડ શાસનવાળા તમે તે નાના ભાઈને શિક્ષા કરજે. આ પ્રમાણે કાચારનું ઉલંઘન નહિ કરવાથી લેકમાં તમારો પણ અપવાદ થશે નહીં. ભરતરાજા તેનું વચન “તેમ હો’ એ પ્રમાણે સ્વીકારે છે, કારણ કે શાસ્ત્ર અને લેકવ્યવહારને અનુસરતી વાણી ઉપાદેય હોય છે. ભરતનું બાહુબલિ તરફ દૂતનું મેકલવું તે પછી તે નીતિકુશળ વાચાળ દઢ એવા સુવેગ નામના દૂતને સમજાવીને બાહુબલિ તરફ મલે છે. ' તે સુવેગ સારી રીતે સ્વામીની શિખામણ લઈને રથમાં ચઢીને તક્ષશિલા તરફ ચાલે છે.
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy