SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ - દ્રિતીય પ્રસ્તા પર મહાપુરૂષ પર ઉપકાર કાસ્વા મહાપુ રામર્થ હોય છે.” આ પ્રમાણે પ્રધાને કહ્યું છતાં કૃપણના સરદાર એવા. વીરધવલ રાજાએ તે રાજકુમારને આદર કર્યો નહિ, એટલે “ચુધીનો ત્યાગ કરીને મુક્તાફળ સમાન ઉજજવળ જનના બીડા માત્રથી સંતુષ્ટ થયેલા અને કૃતજ્ઞજનોમાં મુગટ સમાન એવા તે રાજકુમારેએ ગૌર્જરંદ્રના શત્રુ, આશ્રિતના વત્સલ તથા પ્રતીહાર કુળમાં ઉત્પન્ન થયેલા. એવા ભદ્રેશ્વરપુરના સ્વામી ભીમસિંહ રાજાને આશ્રય. કર્યો. ત્યાં ચૌલુકય રાજાની કૃપણુતાની હકીકત સાંભળીને પ્રસન્ન થયેલા ભીમ ભૂપતિએ તેમને તેમ્ની માગણી કરતાં. દ્વિગુણી (બમણી) વૃત્તિ બાંધી આપી. અહો ! કળાવંત પુરૂષને પગલે પગલે સંપત્તિ પ્રાપ્ત થાય છે. જુઓ-સમુદ્રમાંથી નીકળેલા ચંદ્રને શંભુના મસ્તકનો આશ્રવ મળ્યો.” હવે પિતાના સ્વામીનું કાર્ય કરવાને ઈરછતા એવા. સામતપાલ પ્રમુખ બહાદુર વીર પુરૂએ જેનો ઉત્સાહ. વધાર્યો છે એવા પ્રતીહાર રાજાએ રૂષ્ટમાન થઈને વીરધવલ રાજા પાસે એક સ્પષ્ટ વક્તા ભાટને મોકલ્યો. તે. ભટ્ટરાજ ત્યાં જઈ શ્રીમાન ગુર્જરપતિને આનંદપૂર્વક આશીર્વાદ આપી આસન પર બેસીને બેલ્યો કે- હે રાજન! કૃષ્ણ ભગવાને ઈદ્ર રાજાનું રક્ષણ કરવા બળિ રાજાને પાતાળમાં મોકલ્યો અને અર્જુનના નેહથી કર્ણને મરણ. પમાડ્યો. તે કૃષ્ણના વિરહથી આ વિશ્વને બિલકુલ નિધન (દીન) જોઈને તે સ્થિતિને છેદ કરવા વીરધવલના.
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy