SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ (વિષયાનુકમિક) પ્રથમ પ્રસ્તાવમાં–મંગળાચરણ, ચરિત્રપ્રારંભ, અણહિલપુર પાટણમાં અરાજ મંત્રી, આભૂશાહની પુત્રી કુમારદેવી, હરિભદ્રાચાર્યનું ચિંતવન, શાસનદેવીનું કથન, અધરાજ ને કુમારદેવીને વિવાહ, અશ્વરાજને સુંટાલક નગરમાં નિવાસ ને કુમારદેવીથી થયેલ ત્રણ પુત્ર, મધદેવ, વસ્તુપાળ, તેજપાળ-વસ્તુપાળનું લલિતાદેવી સાથે ને તેજપાળનું અનુપમાદેવી સાથે પાણિગ્રહણ, અધરાજનું સ્વર્ગગમન, વસ્તુપાળનું માતા સહિત માંડલમાં આવીને રહેવું, કુમારદેવીનું સ્વર્ગગમન, નરચંદ્ર સૂરિનું પધારવું, તેમની દેશના, તીર્થયાત્રાની જાગ્રત થયેલ ઈચ્છા, ગુરુએ બતાવેલ ધવલકપુરમાં અભ્યદય, યાત્રાથે પ્રયાણ, હડાલક ગામે આવવું, દ્રવ્યના રક્ષણ નિમિત્તે તેને ભૂમિમાં દાટવા જવું, ત્યાંથી નિધાન નીકળવું, નિધાન સહિત પાછા આવી અનુપમાદેવીની સલાહ પૂછવી, તેણે આપેલી ઉત્તમ સલાહ, તીર્થયાત્રા કરીને વળતાં ધોળકામાં આવવું, રાજગુરુ સોમેશ્વર સાથે મૈત્રી. કનોજના રાજા ભૂવડે પોતાની પુત્રી મહણલને દાયજામાં ગુજરભૂમિનું આપવું, મહણલનું મરણ પામીને વ્યંતરી થવું અને તે જ નામથી ગુર્જરભૂમિની અધિષ્ઠાયિકા થવું, તેણે વરધવળ રાજાને સ્વપ્નમાં આવીને વનરાજથી માંડીને તેના પિતા સુધીનું કહેલું વૃત્તાંત, છેવટે લેચ્છોથી ગુર્જરભૂમિનું રક્ષણ કરવા માટે વસ્તુપાળ તેજપાળને મંત્રી બનાવવાની કરેલી ભલામણ, પ્રભાતે તેનું પિતા પાસે આવવું, બંનેને થયેલ એક વિચાર, સેમેશ્વર પુરોહિતનું આવવું, તેણે આપેલી તેમના વિચારને પુષ્ટિ, વરધવળ રાજાની આજ્ઞાથી બંને મંત્રીનું તેમની પાસે આવવું, વરધવલે તેમને મંત્રી થવા માટે કરેલું આમંત્રણ, વસ્તુપાળ તેને સ્વીકારમાં કરેલી શરત, વરધવલે કરેલો
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy