SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટમ પ્રસ્તાવ ૪૨૯ ચતુર્વિધ (ચોવિહાર) ઉપવાસ કરીને તે પર્વનું આરાધન કર્યું. અને તેના પારણાને દિવસે તેણે વિવિધ ભોજનપૂર્વક અનેક શ્રાવકનું વાત્સલ્ય કર્યું. એ રીતે અનેક પ્રકારે સત્કર્મ કરતાં વસ્તુપાલ મંત્રીએ પોતાના જન્મની સાથે. પિતાને મળેલી સંપત્તિ–લક્ષમીને પણ કૃતાર્થ કરી. એક દિવસે વિઘસતેષી કઈ દુજેને શ્રીવીરધવલરાજાને એકાંતમાં કહ્યું કે-હે સ્વામિન્ ! રાજમંદિરમાં સવ રાજપુત્રોને ભેજનાવસરે જેટલા ભાત થઈ રહે, તેટલા ભાત તે સર્વ ઐશ્વર્યશાળી વસ્તુપાલના ઘરે દરરોજ અતિથિઓને જમાડતાં અજીઠાં (એઠાં) થાય છે અર્થાત પડ્યા રહે છે. આ પ્રમાણે સાંભળીને અંતરમાં કેપ કરી તે કંઈક અસ્વાથ્યના બહાને તે દિવસ અંતઃપુરમાં રહ્યો. પછી કાઉંટિકને વેષ લઈને મંત્રીને ગુહાચાર જેવાને માટે કોપથી જેની દૃષ્ટિ વિકરાળ છે અને જેના હાથમાં કેદારકંકણ છે એ રાજા તીર્થવાસી જનેની સાથે ભેજન. કરવા માટે મંત્રીને ત્યાં આવ્યું, એટલે રક્ત વચ્ચેથી શેભાયમાન અને પંક્તિમાં બેઠેલા એવા તે લોકેમાં રાજા પિતાના અતિશય તેજથી ચન્દ્રમાં સમાન ભવા લાગ્યો. પછી સોલતાએ આનંદપૂર્વક તે સર્વને આદરથી પ્રિય લાગે. તેવી ભેજ્ય વસ્તુઓ પીરસી અને લલિતાદેવીએ લીલાપૂર્વક આનંદી એવા રાજાના વિશાળ થાળમાં સિંહકેશરિયા મોદક મૂક્યા; એટલે સર્વજને અધોમુખ કરીને ઉત્સાહ સહિત વિવિધ પ્રકારનાં ભેજન જમવા લાગ્યા. રાજા દેશાંતરથી.
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy