SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર શ્રીજિનમતરૂપ આરામને ઉલ્લાસ પમાડવામાં મેઘ સમાન એવા શ્રીમાન પલૂણિગ, મલદેવ, વસ્તુપાલ અને તેજપાલ, વસ્તુપાલ મંત્રીનો પુત્ર જસિંહ અને તેજપાલને પુત્ર બુદ્ધિમાનું એ લાવણ્યસિંહ–આ પ્રમાણેની દશ મૂર્તિઓ જાણે જિનદર્શન માટે આવતા દશ દિનાયકે હોય તેમ હાથણીના સ્કંધ પર આરૂઢ થયેલી બનાવી. અહીં રંગભૂમિમાં શોભતી નટીનું અનુકરણ કરતી, સ્ફટિક રનથી બનાવેલી અને શોભાયમાન એવા મંડપના મધ્ય ભાગમાં મુગટ તથા કંકણદિથી વિરાજિત એવી પૂતળીઓ શોભી રહી હતી, અને પ્રતિદિન “સમસ્ત પાતાળ, સ્વર્ગ, અને પૃથ્વીતલની આઠે દિશાઓમાં શ્રી વસ્તુપાલ મંત્રીની કીર્તિ ચારે બાજુ યથેચ્છ રમણ કરે છે એમ વાયુથી અલિત પતાકાઓ ચલાયમાન હસ્તથી સાક્ષાત્ દર્શાવતી હતી. એકદા કેઈ સ્પષ્ટવક્તા ભટ્ટ દૂર દેશથી આવ્યું. એટલે મંત્રીએ તેને નેહપૂર્વક કહ્યું કે અહીં બેસો ” એટલે તે બે કે-હે મહામંત્રિન્ ! સ્થાન વિના મારે કયાં બેસવું?” એટલે મંત્રીએ કહ્યું કે “શી રીતે તમને સ્થાન નથી?” તે બે કે – શનનૈ પાનૈનૈવ મૂતમ્ . यशसा वस्तुपालेन रुद्धमाकाशमंडलम् ॥" અન્નદાન, જળપાન અને ધર્મસ્થાનેથી ભૂતલને અને પિતાના યશથી આકાશમંડળને વસ્તુપાલે રેકી દીધું છે.”
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy