SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ષષ્ઠ પ્રસ્તાવ ૩૨૯ કહ્યું કે–હું મત્રિમ્ ! આ સંસારમાં તથા પ્રકારના પુણ્યના અભાવથી પ્રાણીઓના સર્વે મનેારથ સંપૂર્ણ થતા નથી.’ આ પ્રમાણે કરૂણાના સાગર એવા ગુરૂ મહારાજનાં વચનાથી આશ્વાસન પામેલા મંત્રીએ આનન્દ પામીને આરતી અને મંગળદીવા કર્યાં. એ રીતે આઠ દિવસ પર્યંત ત્યાં વિવિધ પૂજા મહાત્સવા કરતાં અને વાગ્ભટે મૂકેલા દેવદ્રવ્યમાં સવિશેષ વૃદ્ધિ કરતાં શ્રીવસ્તુપાલે પુ...ડરીક ગિરિ પર ચાગ-ક્ષેમ કરીને દેવદ્રવ્યને સંભાળવા માટે ચાર સુશ્રાવકાની નીમણુંક કરી. પછી વિવેકી જનેામાં અગ્રેસર એવા મત્રીએ રાજાની આજ્ઞાથી ચૈત્યપૂજા નિમિત્તે ચાર ગામ દેવભંડારમાં આપ્યાં. ત્યારપછી પ્રાર્થના કરતાં પણ અધિક દાન આપવા વડે યાચકોના દારિદ્રથને દૂર કરીને તથા શ્રીસ'ઘપૂજા અને અન્નપ્રદાનાદિ શુભ ક્રિયાએ કરીને, જિતેન્દ્રિય તથા ભક્તિભાવયુક્ત એવા મંત્રીશ્વરે અંજલિ જોડી શ્રીયુગાદિનાથને વિજ્ઞપ્તિ કરી કે- હે ભગવન્ ! આપના પ્રાસાદ પર બનાવેલ માળામાં રહેતાં જો તમારા ગુણાશ્રવણ કરવામાં આવે તેા સ'ઘદર્શનથી પવિત્રાત્માયુક્ત એવેા હું વિહંગ (પક્ષી) પણ ભલે થાઉં. દાવમાં જેવુ ધૃતકાર (જુગારી)નું ધ્યાન, વિયેાગીને જેવુ પ્રિયામાં ધ્યાન અને રાધાવેધ સાધનારને જેવુ લક્ષ્યમાં ધ્યાન હાય તેવું ધ્યાન આપના મતમાં મને પ્રાપ્ત થાઓ.’ આ પ્રમાણે શ્રીયુગાદિજિનની વિજ્ઞપ્તિ કરીને તથા ઉજ્જવળ પુષ્પ
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy