SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ષષ્ઠ પ્રસ્તાવ ૨૮૯ પડાં બધા આર કાર્ડના આ સાથે હતા, એક પ્રભાવક એવા સંઘપતિ શ્રાવકે સાથે ચાલતા હતા. એવીશ મેટા હાથીદાંતના બનાવેલા રથે સાથે હતા, અને એથી શેભતા બે હજાર કાષ્ઠના રથ સાથે હતા. પચાસ હજાર ગાડાંઓ બધા માણસને બેસવા માટે હતાં અને અઢારસે વેગગામી ગાડીઓ હતી. શિર પર ધરવામાં આવેલા શશાંકમંડળ જેવાં શ્વેત છત્રથી સંઘપતિ શ્રાવકે સાક્ષાત્ મહેશ્વર સમાન લાગતા હતા. સુકૃતશાળી શ્રીસંઘ લેક પર ઓગણશો દિવ્ય છત્ર છાયા કરી રહ્યાં હતાં. ગંગાના કલ્લેલ સમાન ઉજજવળ અને આતપની ગ્લાનિને દૂર કરનાર એવાં ત્રણ હજાર ચામર ઢળાતાં હતાં. રેશમી વસ્ત્રોથી સંવૃત, રથ સમાન વિશાળ તથા સેવકે વહન કરે એવી ચાર હજાર પાંચ ને પાંચ (૪૫૦૫) શ્રેષ્ઠ પાલખી હતી. અઢારસે સામાન્ય ગાડીઓ અને અઢારસો સુખાસને હતાં. બાવીશસે તપસ્વી સાધુઓ અને અગીયારસે દિગંબરે હતા. (૪૦૮) મોટા રથે હતા અને (૩૩૦) રથ વૃષભેથી શેતા અને રત્નથી જડેલા હતા. સંઘમાં બધા મળીને સાત લાખ માણસે હતા. (૩૦૩) માગધ લકે અને (૪૦૦૦) અ હતા. લોકોને આનંદ આપે તેવી વસ્તુપાલની આ પ્રમાણેની ઋદ્ધિ સાથે હતી. વળી સમરસ, નિબિડ, ઉન્નત અને એક સ્તંભીયા મહેલ જેવા અન્ય શ્રાવકના હજારે તંબુઓ સાથે હતા. તેમાં સાત હજાર મેટા કિંમતી તંબુઓ હતા, કે જે વસુધા પર પણ વિમાનની શોભાને દર્શાવતા હતા. જાણે પુણ્યશ્રીને પ્રકટ કરતી હોય એવી
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy