SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર પાત્ર (પુરૂષ) પરંપરાને ધારણ કરે છે. જે વંશમાં ઉત્પન્ન થયેલા સાક્ષાત્ અદ્દભુત કાંતિવાળા નરરત્નાએ વસુધાની જેમ સરસ્વતીને પણ વિશેષે વિભૂષિત કરી હતી. તે નગરમાં. ચૌલુકયવશી રાજાના રાજ્યભારને ધારણ કરવામાં ધુરંધર અને કીર્ત્તિ–લતાના મડપરૂપ એવા મ`ડપ નામે મત્રી હતા. શુભને જ માત્ર ગ્રહણ કરનાર એવા તે મંત્રી ચાણાક્ય પાસેથી ચતુરાઇ, બૃહસ્પતિ પાસેથી વાણી અને સમુદ્ર પાસેથી ગાંભીય ના પાઠ શીખ્યા હતા. તેને અતુલ મહિમાના સાગરરૂપ અને રાજ્ય ચલાવવાની ચાલાકીથી જગતમાં પ્રખ્યાત થયેલા ચડપ્રસાદ નામે પુત્ર હતા. હસ્ત-કમળથી સ્વીકાર કરેલ ગૃહિણીની જેમ રાજ-વ્યાપારરૂપ મુદ્રાથી જે કદાપિ વ્યસ્ત ન હતા . અર્થાત્ રાજમંત્રીપણું જીંદગી પત કર્યું' હતું. સમુદ્રથી ચ`દ્રની જેમ તેનાથી મહાઉયવંત સામ નામે પુત્ર થયા, જેના જન્મતાં જ આકાશની જેમ તેની માતા અધિક પ્રકાશમાન્ થઈ. અહા ! આ કોઈ સામ (ચ'દ્ર) ખરેખર જુદા જ પ્રકારના હતા, કેમકે કલંક રહિત જેના ઉદય થયા અને પદ્માકર (પદ્મોના સમૂહ)ને જેણે સર્વત્ર પ્રકાશિત કર્યા. વિધાતાએ ગુણ-રત્નાના ભંડાર આનામાં સ્થાપન કર્યાં છે–એમ ધારીને સિદ્ધરાજે પણ જેને પેાતાના રત્નાના ભંડાર પર (ભંડારીપદે) સ્થાપન કર્યાં એવા તે સામના અન્ધરાજ નામે પુત્ર થયા, કે જે ઈંદ્રના જેવા પરાક્રમી, જિનશાસનરૂપ કમળના ઉદય કરવામાં સૂર્ય સમાન ૪ * ચન્દ્ર તેા સકલકી હેાય છે અને તેના ઉયથી પાત્રા મી'ચાઈ જાય છે. આ સામ (ચન્દ્ર)ના જન્મથી તેથી વિલક્ષણ બન્યું.
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy