SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર અને મગનાં મૃદુ વડાંથી તે શ્રીસ ંઘની ભક્તિ કરવા લાગ્યા. પુણ્યકૃત્યામાં વિશેષ રુચિ ધરનાર એવા શ્રીસંઘને તેણે ચુક્તિપૂર્વક મરચાં, લવણ અને હીંગ વિગેરેથી વધારેલાં અને અધિક રુચિને કરનારા ચણા, ચાળા અને વાલ પીરસ્યા. પછી સ ધર્મમાં ઉત્તમાત્તમ એવા જૈનધર્મ યુક્ત લાકોને ખાવા યાગ્ય અને ત્રિભુવનમાં પરમાન્ત તરીકે પ્રસિદ્ધિ પામેલ અતિ મનેાના એવા દુધપાકથી તેણે શ્રીસંઘની ભક્તિ કરી. · એ શ્રીસ`ઘ જગતના મ`ડનરૂપ છે અને સગુણની શ્રેણિથી મડિત છે’એમ ધારી વિવેકરૂપ નિર્મળ નેત્રવાળી લલિતા દેવીએ લીલાપૂર્વક શ્રીસ`ઘને ગૌરવથી ખાંડ અને ઘતથી અત્યંત સ્વાદિષ્ટ એવા માંડા પીરસ્યા. ત્યારપછી સારી રીતે પકાવેલ, શુભ્ર અને સુગગયુક્ત ભાત પીરસ્યા અને સ પ્રકારની ગુણશ્રેણિથી શુશેાભિત, નિર્મળ અને પુણ્યવંત પ્રાણીઓને ધર્મમાં જોડી દઇને આનંદ પમાડનાર એવા શ્રીસ`ઘના શાંત એવા મંત્રીશ્વરે મગની ગરમાગરમ દાળથી ભક્તિ કરી. તેમજ પુણ્યથી પ્રૌઢ એવા શ્રીસ`ઘને તેણે પવિત્ર, તાજા અને સુગધી એવા ધૃતની ધારાવડે સારો સત્કાર કર્યા. તથા આદેશ થતાં તરત જ તૈયાર કરવામાં આવેલાં અને નાના પ્રકારની યુક્તિથી સંસ્કૃત કરેલાં એવાં રિપક્વ શાકથી રુચિયુક્ત એવા શ્રાદ્ધ જનાને તેમણે આનંદ પમાડયો. ચીનાઈ શકરાથી સ્વાદિષ્ટ કરેલા અને શીતળ બનાવેલા એવા નિર્મળ જળનું પાન કરીને કાપાપશાંતિથી નિર'તર શીતળ એવાં શ્રાવકોનાં અંગ શીતળ થયાં. તે વખતે ‘યુક્તિપૂર્વક જેમની ભક્તિ કરવાથી ભવાં
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy