SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રસ્તાવ ૧૪t આદેશથી તેજપાલ મંત્રીએ ઈંદ્રને પણ આશ્ચર્ય પમાડે એવું રેવતેશ્વર (શ્રીનેમિનાથ) નું મંદિર કરાવ્યું. આ પ્રમાણે પ્રૌઢ પુણ્યકાર્યોમાં તેમને સદા તત્પર જેઈને ફલપ્રાપ્તિને માટે અનઘ (સરલ) એવા સોમેશ્વર કવિએ તેમની સ્તુતિ કરતાં કહ્યું કે-માગે એકલા કદાપિ ન જવું, આ સ્મૃતિવાક્યને સંભારીને સાંસારિક મેહને મારવામાં સમર્થ એવા એ બંને ભ્રાતા સાથે રહીને જ ધર્મમાર્ગમાં ચાલે છે. લોકોને વ્યાહ પમાડવામાં વિષલતા સમાન એવી પિતાને ઘેર આવેલી લક્ષ્મીને વસ્તુપાલ મંત્રીએ ક૯૫લતા સમાન બનાવી દીધી. સર્વોત્તમ અને સર્વ ગુણેના નિધાનરૂપ એક વસ્તુપાલ મંત્રી જ પ્રશંસા કરવા ગ્ય છે, કારણ કે જેને શરણે આવેલા અથીરજન આશાભગ્ન થઈને કદી પણ પાછા. જતા નથી. અહ! આ વસ્તુપાલ પ્રધાને તે વ્યાકરણથી કઈ જુદી જ સ્થિતિ પકડી કે જ્યાં કઈ પણ સ્થળે ઉપસર્ગ (ઉપદ્રવ), વર્ગ-વિકાર (વર્ણશંકર) કે નિપાત (અદશા)જ જોવામાં આવતા નથી, અર્થાત્ એના પ્રતાપે તેવું કોઈ પ્રકારનું પ્રજાને દુઃખ થતું નથી.” આ પ્રમાણેની સામેશ્વર કવિની કરેલી પ્રશંસા સાંભળીને તેમણે પ્રસન્ન થઈ તેને ત્રણ લાખ દ્રશ્ન આપ્યા, કારણ કે જગતમાં દાતાને માટે દાનની મર્યાદા હતી જ નથી.” કહ્યું છે કે-ઔદાર્યથી ઉન્નત થયેલા સજજનોને પાંચ હજાર કે પાંચ લાખ પણ શું માત્ર છે? તેમજ કેટિ દ્રવ્ય યા તે રત્નતી એવી વસુમતી પણ શું હિસાબમાં છે?
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy