SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ તૃતીય પ્રસ્તાવ તેને ઉપર ખેંચી લેવરાવ્યું. પછી વિવાહસામગ્રી સત્વર તૈયાર કરાવીને ગાંધર્વવિધિથી રાજપુત્રીએ તે દુગતની સાથે પાણિગ્રહણ કરી લીધું. તે વખતે ચંદ્રાનના નામની તેની સખીએ મુખપર હર્ષની છાયા લાવીને તેને કહ્યું કે-“હે સ્વામિનિ ! આજે તમારૂં મનેરથરૂપ વૃક્ષ ફલિત થયું. હવે આગળપર તો તમારાં પૂર્વ કર્મ પ્રમાણ છે. એટલે દુગતે પણ સંતુષ્ટ થઈને કહ્યું કે-“એ વાત એમ જ છે.” આ પ્રમાણેની ક્ષારજળની જેવી ઉબણ તેના વિનિની મધુરતાનું પાન કરવાથી અર્થાત્ તેના કઠેર સ્વરને સાંભળવાથી કમલિની જેમ તે રાજસુતાનું મુખકમળ તરતજ પ્લાન થઈ ગયું, અને દીપકવડે તેનું મુખ જોઈને તે લાંબા વિચારમાં પડી ગઈ. પછી મહા ચિંતામાં પડેલી એવી તે રાજબાળાએ તે જ રસ્તેથી તેને નીચે ઉતારી મૂકે; એટલે ગત પણ તે જ દેવમંદિરમાં આવી યક્ષરાજને નમસ્કાર કરીને તથા પંચપરમેષ્ઠીનું સ્મરણ કરીને પોતાના તાતની જેમ તે યક્ષના ઉલ્લંગમાં પોતાનું શિર મૂકી નિશ્ચિત થઈ સુઈ ગયે. - હવે સૂર્યોદય થતાં તેવા પ્રકારનું પોતાની સુતાનું સ્વરૂપ જાણને મંત્રીપનીએ વિસ્મય પામી પોતના પતિને તે નિવેદન કર્યું અને તે સાંભળતાં મનમાં અતિ વ્યાકુળ થઈને તેણે તે હકીકત રાજાને કહી સંભળાવી. તે વખતે વિવિધ વિકલ્પમાં પડી ગયેલ રાજાએ પોતાની કન્યાનું સ્વરૂપ પણ તે મંત્રીને કહી બતાવ્યું. એટલે તે બંને વિરમય
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy